ભોપાલઃ દેશભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. સંક્રમિત દર્દીની સાથે સાથે દરરોજ મરનારા લોકની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોના સંક્રમિત દર્દીની સારવાર કરનાર એક ડોક્ટરનું મોત થયું છે. ડોક્ટરનું નામ શત્રુઘ્ન પંજવાની કહેવામાં આવી રહ્યું છે. CMHOએ ડોક્ટરની મોતની પુષ્ટિ કરી દીધી છે. ડોક્ટરનાં મોતની સાથે સાથે ઇન્દોરમાં મરનાર લોકોની સંખ્યા 22એ પહોંચી ગઈ છે.


જણાવીએ કે, થોડા દિવસ પહેલા જ ડોક્ટર પંજવાની કોરના પોઝિટિવ મળી આવ્યા હતા. ઇન્દોરમાં કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેમની સારવાર પહેલા ગોકુલદાસમાં ત્યાર બાદ સીએચએલમાં ચાલી રહી હતી અને બાદમાં તેમને અરવિંદોમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન આજે સવારે તેમનું મૃત્યું થયું છે. ડો. પંચવાની ઇન્દોરના રૂરામ નગરમાં રહેતા હતા. જણાવીએ કે, થોડા દિવસ પહેલા જ ડોક્ટર પંજવાની કોરનોા પોઝિટિવ મળી આવ્યા હતા.

ઇન્દોરમાં કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના ફેલાતો રોકવા માટે સરકાર તરફથી અનેક પગલા લેવામાં આવી રહ્યા છે.

જણાવીએ કે, મધ્ય પ્રદેશમાં કોરોનાના 299 કેસ સામે આવ્યા છે. દર્દીની સંખ્યા સતત વધી હી છે. જ્યારે દેશભરમાં સંક્રમિત દર્દીની સંખ્યા 5734એ પહોંચી ગઈ છે.