ચેન્નાઈ: બંગાળની ખાડીમાં બનેલા ચક્રવાતી તોફાન શુક્રવારે 2 ડિસેમ્બરે તમિલનાડૂના કિનારા સાથે ટકરાવાની આશંકા છે. મૌસમ વિભાગે પૂર્વાનુમાનોમાં જણાવ્યું કે આ તોફાન ચેન્નાઈ અને વેદારન્યમની વચ્ચે કૂડ્ડલૂરના કિનારા સાથે ટકરાશે.


નાડા નામના આ ચક્રવાતના લીધે બુધવારે રાત્રે ચેન્નાઈમાં મધ્યમથી અતિ ભારે વરસાદ અને ગુરુવારે પાંડેચેરી અને તમિલનાડૂના ઉત્તરી તટીય વિસ્તારોમાં તેજ વરસાદની આશંકા છે.

ભારતીય મૌસમ વિભાગે ચક્રવાતની ચેતવણી વિભાગે કહ્યું કે ઉપગ્રહથી પ્રાપ્ત થતી તસ્વીરોમાં સંકેત મળે છે કે દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર દબાણ બનેલું છે. હાલ તેનું કેંદ્ર બિંદુ ચેન્નાઈના પૂર્વ દક્ષિણપૂર્વમાં લગભગ 1070 કિલોમીટર અને પાંડેચેરીના પૂર્વ દક્ષિણપૂ્ર્વમાં 1030 કિલોમીટરની અંતરે સ્થિત છે.