નવી દિલ્હીઃ બીજેપીમાં હાંકી કાઢવામાં આવેલ નેતા પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ દયાશંકર સિંહે એક વખત ફરી માયાવતી પર પ્રહાર કર્યા છે. આ વખતે તેમણે માયાવતીની તુલના કુતરા સાથે કરી છે. આ પહેલા પણ તેમણે માયાતવી ર વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અરાજકાત ફેલાઈ હતી. જેના કારણે તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.


દયાશંકર જનપદના મૈનપુરીના ધિરોર પ્રાંતમાં એક કાર્યક્રમમાં સામેલ થવા આવ્યા હતા. ત્યાં તેમણે સભાને સંબોધિત કરતા કહ્યું કે, માયાવતી એવા કુતરા જેવી છે જે ગલીમાં કોઈ ગાડી જતી હોય તો કુતરા તે ગાડીની પાછળ દોડગા લાગે છે અને જેવી જ ગાડી બ્રેક મારે છે કે તરત જ કુરતા પીછળ ભાગી જાય છે.

દયાશંકર સિંહે આ પહેલા માયાવતી પર કટાક્ષ કર્યા હતા. તેના કારણે તેને જેલમાં પણ જવું પડ્યું હતું. તેની પત્ની સ્વાતિ સિંહે બાદમાં મોર્ચો સંભાળતા માયાવતી વળતો હુમલો કર્યો હતો.