DELHI : પડોશી દેશ પાકિસ્તાનમાં ભૂલથી મિસાઈલ છોડવાની ઘટના પર રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે સંસદના બંને ગૃહોમાં નિવેદન આપશે  બાબતે ખુલાસો કરશે.  રાજનાથ સિંહ સૌથી પહેલા સવારે 11 વાગે રાજ્યસભામાં નિવેદન આપશે અને  12 વાગે લોકસભામાં પણ નિવેદન આપશે. 9 માર્ચે એક 'હાઈસ્પીડ મિસાઈલ ' પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પપ્રવેશી અને તેના પંજાબ પ્રાંતના ખાનવાલ જિલ્લામાં મિયાં ચન્નુ પાસે પડી. 


અગાઉ શુક્રવારે, ભારત સરકારે કહ્યું હતું કે બે દિવસ પહેલા, એક મિસાઈલ આકસ્મિક રીતે ફાયર કરવામાં આવી હતી, જે પાકિસ્તાનમાં પડી હતી અને "ખેદજનક" ઘટના નિયમિત જાળવણી દરમિયાન ટેકનિકલ  ખામીને કારણે થઈ હતી. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને 'કોર્ટ ઓફ ઈન્ક્વાયરી'ના આદેશ આપ્યા છે. તેના એક દિવસ પહેલા, પાકિસ્તાને કહ્યું હતું કે ભારત તરફથી ફાયર કરવામાં આવેલ "હાઈ-સ્પીડ મિસાઈલ" તેના એરસ્પેસમાં પ્રવેશી પંજાબ પ્રાંતના ખાનવાલ જિલ્લામાં મિયાં ચન્નુ પાસે પડી.


ઘટના બાદ પાકિસ્તાને શું કહ્યું?
આ ઘટના બાદ પાકિસ્તાને કહ્યું કે પંજાબ પ્રાંતમાં પડેલી મિસાઈલના "આકસ્મિક ફાયરિંગ" પર અમે ભારતના સરળ ખુલાસાથી સંતુષ્ટ નથી. પાકિસ્તાની વિદેશ કાર્યાલયે કહ્યું હતું કે આ ઘટના સુરક્ષા પ્રોટોકોલના સંદર્ભમાં ઘણા પ્રશ્નો ઉભા કરે છે. અને પરમાણુ વાતાવરણમાં આકસ્મિક અથવા અનધિકૃત મિસાઇલ પ્રક્ષેપણ સામે તકનીકી સુરક્ષા લગતા ઘણા પ્રશ્નો ઉભા કરે છે. 


ઈમરાન ખાનની ખોખલી ધમકી 
 પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાને આ ઘટનાને લઈને ભારતને ખોખલી ધમકી આપી હતી. પીએમ ઈમરાન ખાને કહ્યું છે કે જો ભારતીય મિસાઈલ તેના પંજાબ પ્રાંતમાં પડી તો પાકિસ્તાન ભારતને જવાબ આપી શક્યું હોત, પરંતુ તેણે સંયમ બતાવ્યો. જણાવવામાં આવી રહ્યું છે કે આ મિસાઈલ લાહોરથી 275 કિલોમીટર દૂર મિયાં ચન્નુ પાસે એક કોલ્ડ સ્ટોર પર પડી તે પહેલા ઘણી એરલાઈન્સ માટે મોટો ખતરો હતો.