Arvind Kejriwal Live: 'હવે મોદી સરકાર આવશે તો ઠાકરે, તેજસ્વી, સ્ટાલિન બધા જેલમાં જશે', કેજરીવાલનો મોટો દાવો

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલને 50 દિવસની કસ્ટડી બાદ શુક્રવારે (10 મે)ના રોજ વચગાળાના જામીન મળ્યા હતા.

gujarati.abplive.com Last Updated: 11 May 2024 01:55 PM
Arvind Kejriwal Road Show: 'દેશને તાનાશાહીથી બચાવવાો છે', CM કેજરીવાલ

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું તમારી વચ્ચે પાછા આવીને ખૂબ જ ખુશ છું. આપણે સાથે મળીને દેશને તાનાશાહીથી  બચાવવાનો છે. તેમણે કહ્યું કે હું મારી પૂરી તાકાતથી લડીશ, મને દેશના 140 કરોડ લોકોના સમર્થનની જરૂર છે.

Arvind Kejriwal Road Show: 'PM મોદી આવતા વર્ષે નિવૃત્ત થઈ રહ્યા છે', CM કેજરીવાલ

સીએમ કેજરીવાલે ભાજપને પ્રશ્ન પૂછ્યો કે તમારા વડાપ્રધાન કોણ હશે ? તમે વિચારતા હશો કે નરેન્દ્ર મોદી પીએમ બનશે, પરંતુ ના, આવતા વર્ષે મોદી 75 વર્ષના થઈ રહ્યા છે. પીએમ મોદીએ ખુદ ભાજપની અંદર એક નિયમ બનાવ્યો હતો કે 75 વર્ષની વયે તેઓ નિવૃત્ત થઈ જશે. પહેલા લાલકૃષ્ણ અડવાણી અને પછી મુરલી મનોહર જોશી નિવૃત્ત થયા. કેજરીવાલે કહ્યું કે આવી સ્થિતિમાં જો ભાજપની સરકાર બને છે તો ગૃહમંત્રી અમિત શાહ દેશના પીએમ બની શકે છે. 

Arvind Kejriwal Road Show: 'તમામ વિપક્ષી નેતાઓને જેલમાં મોકલવા માંગે છે', CM કેજરીવાલ

સીએમ કેજરીવાલે કહ્યું કે પીએમ મોદી દેશના તમામ નેતાઓને ખતમ કરવા માંગે છે. પીએમ મોદી વિપક્ષના તમામ નેતાઓને જેલમાં મોકલવા માંગે છે.

Arvind Kejriwal Live Updates:  'PM મોદીએ AAPને કચડી નાખવામાં કોઈ કસર છોડી નથી', CM કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું જેલમાંથી સીધો તમારી વચ્ચે આવ્યો છું. હું અને મારી પત્ની હનુમાન મંદિરે ગયા હતા અને દર્શન કર્યા હતા. તેમણે કહ્યું કે પીએમ મોદીએ અમારી પાર્ટીને કચડી નાખવામાં કોઈ કસર છોડી નથી.

Arvind Kejriwal Live Updates: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા

Arvind Kejriwal Live Updates: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના મુખ્યાલય પહોંચ્યા છે. તેઓ ટૂંક સમયમાં અહીં મીડિયાને સંબોધિત કરવાના છે. આ દરમિયાન તેમની સાથે પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર છે.

Arvind Kejriwal News: કેજરીવાલની મુક્તિથી વિપક્ષી ગઠબંધન મજબૂત બન્યું - સ્ટાલિન

તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવાના નિર્ણયનું સ્વાગત કર્યું અને કહ્યું કે આમ આદમી પાર્ટી (AAP)ના વડાની મુક્તિ એ માત્ર ન્યાયનું પ્રતીક નથી પરંતુ વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાને પણ મજબૂત બનાવે છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે હનુમાનજીના આશીર્વાદ, કરોડો લોકોની પ્રાર્થના અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના ન્યાયથી હું તમારા બધાની વચ્ચે પરત ફરીને ખૂબ જ ખુશ છું.


તેમણે કહ્યું કે 11 વાગ્યે તેઓ કનોટ પ્લેસમાં હનુમાન મંદિર જશે, ત્યારબાદ 1 વાગ્યે પાર્ટી ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પછી સાંજે 4 વાગ્યે દક્ષિણ દિલ્હીના મેહરૌલીમાં રોડ શો યોજાશે. ઈસ્ટ દિલ્હીના કૃષ્ણા નગરમાં સાંજે 6 વાગ્યે રોડ શો યોજાશે. કેજરીવાલે દરેકને આમાં ભાગ લેવાની અપીલ કરી છે.


કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલને 50 દિવસની કસ્ટડી બાદ શુક્રવારે (10 મે)ના રોજ વચગાળાના જામીન મળ્યા હતા. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. 

કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલને 50 દિવસની કસ્ટડી બાદ શુક્રવારે (10 મે)ના રોજ વચગાળાના જામીન મળ્યા હતા. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. 

બ્રેકગ્રાઉન્ડ

Arvind Kejriwal News: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલને 50 દિવસની કસ્ટડી બાદ શુક્રવારે (10 મે)ના રોજ વચગાળાના જામીન મળ્યા હતા. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે, ત્યારબાદ તેમણે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. કેજરીવાલ શુક્રવારે સાંજે જ તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. પાર્ટીના નેતાઓ અને કાર્યકરો બહાર તેમની રાહ જોઈ રહ્યા હતા.


કેજરીવાલની બહાર નીકળવાથી આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી છે, કારણ કે તે AAPના સૌથી મોટા સ્ટાર પ્રચારક છે. અરવિંદ કેજરીવાલ એવા સમયે જેલમાંથી બહાર આવ્યા છે જ્યારે દિલ્હી, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં ચૂંટણી થવાની બાકી છે. આ ત્રણેય રાજ્યોમાં આમ આદમી પાર્ટીની સ્થિતિ ઘણી મજબૂત છે. જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલ ત્રણેય રાજ્યોમાં રેલીઓ અને રોડ શો કરવાની યોજના ધરાવે છે.


અરવિંદ કેજરીવાલ શનિવારે (11 મે) દિલ્હીના કનોટ પ્લેસમાં આવેલા હનુમાન મંદિરમાં સવારે પૂજા કરવા જઈ રહ્યા છે. આ પછી તેઓ બપોરે 1 વાગે પાર્ટી ઓફિસ પણ જવાના છે. કેજરીવાલ આજે સાંજે દિલ્હીમાં ચૂંટણી કાર્યક્રમ પણ યોજી શકે છે. આમ આદમી પાર્ટી દિલ્હીની ચાર બેઠકો પર લોકસભા ચૂંટણી લડી રહી છે. આવી સ્થિતિમાં કેજરીવાલ પોતાના ઉમેદવારો માટે જનસમર્થન મેળવવા માટે રેલીઓ કરતા જોવા મળી શકે છે.


અરવિંદ કેજરીવાલની 21 માર્ચે દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં બંધ હતા. તે ઘણા મહિનાઓથી જામીન માટે અરજી કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીને ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપ્યા છે. તેમને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તેઓ મુખ્યમંત્રી તરીકે કોઈ પણ પ્રકારનું કામ કરશે નહીં. આ રીતે તેઓ પ્રચાર કરતી વખતે જ જોવા મળશે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.