Delhi Corona Cases: દિલ્હીમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો, 30 લોકોના મોત

આજે દિલ્હીમાં કોરોના સંક્રમણના 3 હજાર 674 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 30 દર્દીઓના મોત થયા છે, જેની સાથે દિલ્હીમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હવે 25 હજાર 827 પર પહોંચી ગઈ છે.

Continues below advertisement

Delhi Corona Cases Update: ભારતમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના આગમન સાથે  દિલ્હીમાં ચેપના કેસોમાં સતત વધારો થયો હતો. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી કડક નિયંત્રણોના અમલને કારણે, દિલ્હીમાં કોરોના સંક્રમિત કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ ટ્રેન્ડ રવિવારે પણ ચાલુ રહ્યો છે. આ સાથે ચેપ દર પણ નીચે આવ્યો છે. શનિવારે દિલ્હીમાં સંક્રમણ દર 7.41 ટકા હતો જે આજે ઘટીને 6.37 થઈ ગયો છે.

Continues below advertisement

આજે દિલ્હીમાં કોરોના સંક્રમણના 3 હજાર 674 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 30 દર્દીઓના મોત થયા છે, જેની સાથે દિલ્હીમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હવે 25 હજાર 827 પર પહોંચી ગઈ છે. દિલ્હીમાં તાજેતરના સરકારી આંકડા અનુસાર, કોરોનાના 21 હજાર 490 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં 6,954 દર્દીઓ સાજા થયા છે.

ગુજરાતમાં કોરોના કેસ

 

ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 9395  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 91320 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 278 લોકો વેન્ટીલેટર પર છે. 91042 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1052222 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10438 લોકોના મોત થયા છે.

બીજી તરફ આજે 16066  દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 91.18 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  30 મોત થયા. આજે 88,117 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3582, વડોદરા કોર્પોરેશનમાં 1598, રાજકોટ કોર્પોરેશનમાં 522, વડોદરામાં 413, સુરત કોર્પોરેશનમાં 398,   ગાંધીનગર કોર્પોરેશનમાં 304,  પાટણ 276,  રાજકોટ 251,  સુરતમાં 244, મહેસાણા 200, ગાંધીનગર 171, કચ્છ 153, ભાવનગર કોર્પોરેશનમાં 125, ખેડા 125, આણંદ 122,   બનાસકાંઠા 99, નવસારી 88, વલસાડ 86, અમદાવાદ 71, સાબરકાંઠા 67, તાપી 64,  સુરેન્દ્રનગર 48,  ભરુચ 46, જામનગર કોર્પોરેશન 35, અમરેલી 34,  દેવભૂમિ દ્વારકા 33, મોરબી 33, દાહોદ 31, ભાવનગર 23, પંચમહાલ 22, ગીર સોમનાથ 21, જામનગર 20, પોરબંદર 20, જૂનાગઢ 14, ડાંગ 13, જૂનાગઢ કોર્પોરેશન 11,  છોટા ઉદેપુર 10, નર્મદા 9, મહીસાગર 6,  અરવલ્લી 5 અને  બોટાદ 2  કેસ નોંધાયા છે. 

આજે કોરોનાના કારણે 30 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, રાજકોટ 1,  સુરત 3, મહેસાણા 1, ગાંધીનગર 1, અમદાવાદ 1,ભરુચ 3, જામનગર કોર્પોરેશન 1, મોરબી 1 અને જામનગરમાં 1  દર્દીનું કોરોનાથી મોત થયું છે.

 

 

Continues below advertisement
Sponsored Links by Taboola