દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર તરફથી સિવિલ ડિફેન્સના સભ્યોની ભરતી માટે છાપામાં જાહેરાત પ્રકાશિત કરાવવામાં આવી હતી. આ જાહેરાતમાં અરજી માટે પાત્રતાના કૉલમમાં લખ્યું હતું ભારતનો નાગરિક હોય કે નેપાલ, ભૂટાન કે સિક્કીમની પ્રજા હોય. નેપાલની અને ભૂટાનની સાથે સાથે સિક્કીમને પણ ભારતથી અલગ બતાવવામાં આવ્યુ છે. આ જાહેરાત પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તસવીર પણ છપાયેલી છે.
સિવિલ ડિફેન્સની ભરતીને લઇને હવે કેજરીવાલ સરાકાર પર રાજકીય પક્ષો નિશાનો તાકી રહ્યાં છે. આપ સરકારે કહ્યું કે, આવા મુદ્દાઓ પર બીજેપી અને કોંગ્રેસ હલકી રાજનીતિ કરી રહ્યાં છે.