ભોપાલઃ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus Second Wave) ભલે ધીમી પડી હોય પણ સંક્રમણનો દર યથાવત છે. આ દરમિયાન દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયંટના (Delta Plus Variant) કેસ પણ જોવા મળી રહ્યા છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે મધ્યપ્રદેશમાં ડેલ્ટા પ્લસ વેરિયંટથી પ્રથમ મોત થયું છે. જેને લઈ હડકંપ મચી ગયો છે. મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિયંટના પાંચ કેસ નોંધાયા છે અને તેમાંથી ચાર લોકો સાજા થઈ ગયા છે.


ઈન્ડિયા ટુડેએ રિપોર્ટમાં એમ પણ લખ્યું છે કે કે, દર્દીનું 23 મેના રોજ મોત થયું હતું. સત્તાધીશોએ ચેનલને જણાવ્યું કે, તેના પતિને પણ કોવિડ-19 થયો હતો. કોન્ટેક્ટ ટ્રેસિંગથી તેના સંપર્કમાં આવેલા તમામના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જે નેગેટિવ આવ્યા છે. ડેલ્ટા પ્લસ વેરિયંટ મળતાં સરકારે રાજ્યની હોસ્પિટલોને એલર્ટ કરી દીધી છે.


દેશમાં કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus Second Wave) ભલે ધીમી પડી હોય પણ સંક્રમણનો દર યથાવત છે. દેશમાં ફરી એક વખત 50 હજારથી નવા મામલા (India Corona Cases) સામે આવ્યા છ. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં છેલ્લા 24 કલાકમાં 54059 નવા કેસ આવ્યા અને 1321 સંક્રમિતોના મોત થયા છે. ગઈકાલે  68885 લોકો કરોનાથી ઠીક પણ થયા છે એટલે કે એક જ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા 16137 ઘટી ગઈ છે.  


કોરોનાની દેશમાં સ્થિતિ



  • કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 82 હજાર 778

  • કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 90 લાખ 63 હજાર 740

  • કુલ એક્ટિવ કેસ - 6 લાખ 27 હજાર 57

  • કુલ મોત - 3 લાખ 91 હજાર 981


દેશમાં સતત 42માં દિવસે કોરોના સંક્રમણના નવા કેસની સંખ્યા કરતાં રિકવરી થયેલ કેસની સંખ્યા વધારે છે. 23 જૂન સુધી દેશભરમાં 30 કરોડ 16 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 64 લાખ 89 હજાર રસી આપવામાં આવી હતી. જ્યારે અત્યાર સુધી 39 કરોડ 78 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે અંદાજે 19 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 3 ટકાથી વધારે છે.


દેશમાં ક્યારે આવશે ત્રીજી લહેર


કોરોનાના ઘટતાં કેસની વચ્ચે લોકોએ બેદરકારી દાખવવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતોની એક ટીમ સરવેમાં દેશમાં ઓક્ટોબર સુધીમાં એટલેકે તહેવારોના સમયમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ આ લહેરમાં ભારતમાં આવેલી બીજી લહેરની સરખામણીએ વધુ નિયંત્રિત હશે, પરંતુ આ લહેરના કારણે દેશમાં કોરોના વધુ એક વર્ષ સુધી રહી શકે છે.