ધનતેરસને હવે રાષ્ટ્રીય આર્યુવૈદિક દિવસ તરીકે ઉજવવામાં આવશે, સરકારે કરી જાહેરાત
abpasmita.in | 28 Oct 2016 10:25 AM (IST)
નવી દિલ્લીઃ હિંદુઓના તહેવાર ધનતેરસને હવે નવી ઓળખ મળી છે. ધનતેરસના દિવસને હવેથી રાષ્ટ્રીય આર્યુવેદિક દિવસ તરીકે મનાવવાનું મોદી સરકારે નક્કી કર્યુ છે. પૌરાણિક માન્યાત મુજબ આર્યુવેદના જનક અને દેવતાઓના વૈદ્ય ધનવંતરીનો જન્મ ધનતેરસના દિવસે થયો હતો. આ દિવસે ધનવંતરીની પૂજાની પરંપરા છે. સરકાર ડાયબિટીસ પર જાગૃક્તા અભિયાનથી આની શરૂઆત કરશે. આ અવસરે મંત્રાલય તરફથી ડાયાબિટીસ માટે વિકસિત આયુષ 82 નામની દવા પણ લૉંચ કરવામાં આવી હતી.