નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરના સંકટ વચ્ચે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. જેમાં ગઈકાલે આશરે 6 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે આજે કૃષિ, પ્રવાસી મજૂરો, ફેરિયાઓ માટે પેકેજની જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા અર્થતંત્રમાં પ્રાણ ભરવા આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી છે.


આજે નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, સરકાર લોકડાઉનમાં પણ સતત કામ કરી રહી છે. 3 કરોડ ખેડૂતો સુધી મદદ પહોંચાડવામાં આવી છે. 25 લાખ કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે.



તેમણે એમ પણ જણાવ્યું કે, કોરોના સમયમાં 63 લાખ લોન કૃષિ ક્ષેત્ર માટે મંજૂર કરવામાં આવી છે. આ રકમ 86,600 કરોડ રૂપિયા છે. ઈન્ટરેસ્ટ સબવેંશન સ્કીમને વધારીને 31 મે સુધી કરવામાં આવી છે.


બુધવારે સાંજે નાણા મંત્રીએ નાના ઉદ્યોગો માટે ત્રણ લાખ કરોડ રૂપિયાની ગેરંટી વગરની લોન અને એનબીએફસીને 30,000 કરોડ રૂપિયા સહિત કુલ 6 લાખ કરોડ રૂપિયાની જાહેરાતો કરી હતી. આ ઉપરાંત નોન સેલરી સિવાયના પેમેન્ટ પરના ટેક્સમાં 25 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત થઈ હતી.

કન્સ્ટ્રક્શન કંપનીઓને પ્રોજેક્ટ પૂરા કરવા વધુ છ માસનો સમય આપવામાં આવ્યો હતી. વીજ વિતરણ કંપનીઓને પણ 90 હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. એમએસએમઈની વ્યાખ્યા પણ બદલવામાં આવી છે. નાના ઉદ્યોગોને આપવામાં આવતી લોનની મુદત ચાર વર્ષ વર્ષની રહેશે. 12 મહિના સુધી આ લોન પર કોઈ વ્યાજ ચૂકવવું નહીં પડે. આ પેકેજથી 45 લાખ લઘુ ઉદ્યોગોને ફાયદો થશે.