Maharashtra Political Crisis: શિવસેના(Shiv Sena) ના બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદે(eknath shinde)એ શિવસૈનિકોને સંબોધિત કરેલા ટ્વિટમાં દાવો કર્યો છે કે તેઓ શિવસેનાને મહારાષ્ટ્ર વિકાસ અઘાડીના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે લડી રહ્યા છે. તેમણે લખ્યું, "સારી રીતે સમજો, M.V.A. ના ખેલને ઓળખો..! હું શિવસેના અને શિવસૈનિકોને એમવીએના અજગરની ચુંગાલમાંથી મુક્ત કરવા માટે લડી રહ્યો છું. આ લડાઈ તમારા શિવસૈનિકોના ભલા માટે સમર્પિત છે. તમારો એકનાથ સંભાજી શિંદે."

Continues below advertisement

અગાઉ, અસંતુષ્ટ શિવસેનાના ધારાસભ્ય દીપક કેસરકરે શનિવારે કહ્યું હતું કે બળવાખોર જૂથ પાસે વિધાનસભા પક્ષમાં બે તૃતીયાંશ બહુમતી છે અને તેણે મહારાષ્ટ્રના વરિષ્ઠ પ્રધાન એકનાથ શિંદેને તેના નેતા તરીકે નિયુક્ત કર્યા છે.

Continues below advertisement

બળવાખોર જૂથ આસામમાં 

તમને જણાવી દઈએ કે શિંદે અને અન્ય બળવાખોર ધારાસભ્યો આસામના ગુવાહાટી શહેરમાં છે, જેમના બળવાથી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારને ખતરો છે. ગુવાહાટીથી ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં કેસરકરે કહ્યું કે તેમણે શિવસેના છોડી નથી, પરંતુ તેમના જૂથનું નામ શિવસેના (બાળાસાહેબ) રાખ્યું છે.

કેસરકરે કહ્યું કે માત્ર 16 કે 17 લોકો 55 ધારાસભ્યોના જૂથના નેતાને બદલી શકતા નથી અને બળવાખોર શિવસેના જૂથ શિવસેના જૂથના નેતા તરીકે શિંદેની જગ્યાએ મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરિ જીરવાલના આદેશને કોર્ટમાં પડકારશે.

શિંદે જૂથ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારને સમર્થન પાછું ખેંચશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા કેસરકરે કહ્યું, “આપણે શા માટે સમર્થન પાછું ખેંચવું જોઈએ? અમે શિવસેના છીએ. અમે પાર્ટીને હાઇજેક નથી કરી, NCP અને કોંગ્રેસે તેને હાઇજેક કરી છે." કેસરકરે કહ્યું, "ધારાસભ્યોએ પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને કહ્યું હતું કે અમે જે પક્ષ સાથે ચૂંટણી લડ્યા છીએ તેની સાથે જ રહેવું જોઈએ. 

આ હંગામા વચ્ચે ડેપ્યુટી સ્પીકરે શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને નોટિસ પાઠવી છે અને તમામ ધારાસભ્યોને 27 જૂને સાંજે 5.30 વાગ્યા સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે. આ નોટિસ મુજબ જો આ બળવાખોર ધારાસભ્યો નોટિસનો જવાબ નહીં આપે તો એમ માની લેવામાં આવશે કે તેમની પાસે જવાબ આપવા માટે કંઈ નથી અને આગળની પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ શિવસેનાએ આજની કાર્યકારિણી બેઠકમાં હાજર ન રહેવા બદલ ગેરલાયકની નોટિસ પણ જારી કરી છે.