Arvind Kejriwal Interim Bail Fact Check: લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી ચર્ચાની વચ્ચે જેલમાં બંધ દિલ્હીની મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર સમાચાર આવી રહ્યાં છે, તેમના લગતા કેટલાક સમાચારો સોશ્યલ મીડિયા પર હજુ પણ વાયરલ થાય છે. આવા જ એક સમાચાર કાલથી (7 મે 2024) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.


આ વાયરલ સમાચારમાં ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને 7 જૂન સુધી વચગાળાના જામીન આપી દીધા છે, જેના પર કથિત દારૂ ગોટાળામાં મની લૉન્ડરિંગનો આરોપ લગાવ્યો છે. 


પીટીઆઈ ફેક્ટ ચેક ટીમને જાણવા મળ્યું કે સુપ્રીમ કોર્ટે 7 મેના રોજ દિલ્હીના સીએમની જામીન અરજી પર કોઈ આદેશ આપ્યો ન હતો.


સુપ્રીમ કોર્ટ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરી રહી છે, જે 21 માર્ચે તેમની ધરપકડ બાદથી તિહાર જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. AAP સંયોજકે લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે વચગાળાના જામીન માંગ્યા છે.


કેમ કરવામાં આવી રહ્યો છે દાવો ?


એક ફેસબુક યુઝરે 7 મેના રોજ દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને 7 જૂન સુધી વચગાળાના જામીન આપી દીધા છે.


અહીં પૉસ્ટની લિંક અને અર્કાઇવ લિન્ક છે, અને નીચે આનો એક સ્ક્રીનશૉટ છે. 




શું નીકળ્યું તપાસમાં ?


પીટીઆઈની ટીમે વીડિયોની તપાસ શરૂ કરી છે. ટીમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સર્ચ કર્યુ અને જાણવા મળ્યું કે ઘણા યૂઝર્સે 7 મેના રોજ એકસરખા જ દાવો શેર કર્યો હતા. આ દાવા તે દિવસના છે જ્યારે સુપ્રીમ કોર્ટ કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી.


એવી ત્રણ પૉસ્ટો અહીં, અહીં અને અહીં જોઇ શકાય છે અને તેના અર્કાઇવ્ડ વર્ઝન અહીંઅહીં અને અહીં જોઇ શકો છો 




તપાસમાં આગળના સ્ટેપ્સ તરીકે  ટીમે આ બાબતે કોઈપણ સમાચાર અહેવાલો જોવા માટે કસ્ટમાઇઝ્ડ Google સર્ચ સાથે કર્યું, આના પર અમને 7 મેના રોજ ધી પ્રિન્ટ દ્વારા શીર્ષક સાથે પ્રકાશિત એક પીટીઆઈ અહેવાલ મળ્યો... "કેજરીવાલ મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી તાત્કાલિક રાહત મેળવવામાં નિષ્ફળ રહ્યા"


રિપોર્ટના એક સેક્શનમાં લખ્યું છે "જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેંચ, જેણે દિવસ દરમિયાન વચગાળાના જામીન આપવા પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો અને કહ્યું હતું કે તે બપોરે 2 વાગ્યે જાહેર કરવામાં આવશે, પોતાનો નિર્ણય સંભળાવ્યા વિના જ ઉઠી ગઇ હતી."


રિપોર્ટની લિંક અહીં આપવામાં આવી છે.


આ દરમિયાન, સુપ્રીમ કોર્ટની સુનાવણી વિશે રિપોર્ટ કરતાં હિન્દુસ્તાન ટાઈમ્સમાં એક આર્ટિકલમાં શીર્ષ અદાલતના હવાલાથી ટાંકવામાં આવ્યું હતું: “અમે જામીન મંજૂર કરી શકીએ છીએ કે અમે જામીન મંજૂર નથી કરી શકતા, પરંતુ અમારે તમારા માટે ખુલ્લા રહેવાની જરૂર છે. કારણ કે નિર્ણયથી કોઈપણ પક્ષને આશ્ચર્ય ના થવું જોઈએ.


રિપોર્ટની લિંક અહીં આપવામાં આવી છે.


7 મેના રોજ બિઝનેસ સ્ટાન્ડર્ડ દ્વારા પ્રકાશિત અન્ય પીટીઆઈના અહેવાલમાં સુપ્રીમ કોર્ટના હવાલાથી ટાંકવામાં આવ્યું હતું કે "તે નથી ઇચ્છતા કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મની લૉન્ડ્રિંગ કેસમાં વાચગાળાના જામીન પર છૂટવા પર પોતાના અધિકારિક કર્તવ્યોનું પાલન કરવું પડે."  કેમ કે આનાથી હિતોનો સંઘર્ષ થશે."


રિપોર્ટમાં એક ભાગમાં લખ્યું છે "કેજરીવાલ સર્વોચ્ચ અદાલતમાંથી કોઈ રાહત મેળવવામાં નિષ્ફળ ગયા, કારણ કે બે ન્યાયાધીશોની બેન્ચ તેમને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે વચગાળાના જામીન આપવાનો આદેશ પસાર કર્યા વિના ચાલી ગઇ."


અમે ન્યૂઝ વેબસાઇટ્સ અને ચેનલોને સ્કેન કરી, અને 7 મેના રોજ પ્રકાશિત ધ હિંદુ દ્વારા એક અહેવાલ મળ્યો, જેનું શીર્ષક હતું: "સુપ્રીમ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પરના આદેશને ટાળ્યો."


અહીં રિપોર્ટની લિંક છે અને નીચે તેનો સ્ક્રીનશૉટ છે. 




શું નીકળ્યુ નિષ્કર્ષ ?


તમામ તથ્યોને જોયા બાદ ટીમે તારણ કાઢ્યું કે કેજરીવાલના વચગાળાના જામીન પર સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવા ખોટા હતા.


દાવો


સુપ્રીમ કોર્ટે દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપી દીધા છે.


શું છે તથ્યો


સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા નથી અને હજુ સુધી કેજરીવાલની અરજી પર ચૂકાદો સંભળાવ્યો નથી.


શું છે નિષ્કર્ષ


ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સે દાવો કર્યો હતો કે 7 મેના રોજ સુપ્રીમ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને એક્સાઈઝ ડ્યુટી પૉલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં 7 જૂન સુધી વચગાળાના જામીન આપી દીધા છે, અમારી તપાસમાં પીટીઆઈ ટીમને જાણવા મળ્યું કે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા દાવા ખોટા છે કારણ કે સુપ્રીમ કોર્ટે હજુ સુધી દિલ્હીના મુખ્યમંત્રીની અરજી પર તેનો ચૂકાદો આપ્યો નથી.


Disclaimer: This story was originally published by  PTI News and republished by ABP Live Hindi as part of the Shakti Collective.