એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક અને તેમના પરિવારના સભ્યોના નામે કુર્લા, બાંદ્રા અને સાંતાક્રુઝમાં આવેલી વિવિધ મિલકતોની વિગતોના સંદર્ભમાં દસ્તાવેજોની જાણકારી  માગી છે. EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટર નીરજ કુમારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 સંબંધિત કલમો હેઠળ મલિક વિરુદ્ધ ચાલી રહેલી તપાસ માટે આ માહિતી માગી છે.


કુમારે આ પત્ર 24 માર્ચે લખ્યો છે, જેમાં તેમને પ્રમાણિત દસ્તાવેજો અને અન્ય રેકોર્ડ પ્રદાન કરવા આગ્રહ કર્યો છે. જે પ્રોપર્ટીની માહિતી માંગવામાં આવી છે તે મલિક, તેની પત્ની મેહજબીન અને તેમના પુત્ર ફરાઝના નામે જણાવવામાં આવી રહી છે.


EDએ સાન્તાક્રુઝ વેસ્ટમાં ફ્લેટ નંબર 6, ગુલામનબી મનિલ અને ફ્લેટ નંબર 501, બાંદ્રા વાસ્તુ અને બાંદ્રા વેસ્ટના સંદર્ભમાં વિગતો માંગી છે, જેની માલિકી કથિત રીતે મલિકના પુત્ર ફરાઝની છે.


EDએ કુર્લા પશ્ચિમમાં નૂર મંઝિલ ખાતેના ફ્લેટ નંબર B-03, C-2, C-12 અને G-8 વિશે પણ માહિતી માંગી હતી, જે કથિત રીતે મલિકની પત્ની મેહજબીનના નામે છે. આ ઉપરાંત, ઇડીએ કુર્લા પશ્ચિમમાં નૂર મંઝિલમાં ફ્લેટ નંબર B-03, C-2, C-12 અને G-8 વિશે વિગતો માગી છે, જે કથિત રીતે મલિકની માલિકી ધરાવે છે.


તમને જણાવી દઈએ કે નવાબ મલિકની 23 ફેબ્રુઆરીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલ નવાબ મલિક જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.


થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ  ​​વિપક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મંત્રી નવાબ મલિકના રાજીનામા અને સંબંધી વિરુદ્ધ કાર્યવાહીની માગણી માટે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે વિધાનસભામાં કહ્યું, તમે નવાબ મલિકના રાજીનામાની માગ કરી રહ્યા છો. પહેલા તમે કહો કે અફઝલ ગુરુ અને બુરહાન વાની પ્રત્યે સહાનુભૂતિ રાખતી મહેબૂબા મુફ્તીને તમે કેમ સમર્થન આપ્યું?