નવી દિલ્હીઃ દેશના અનેક મીડિયા પ્લેટફોર્મ પર ટૂંકમાં જ 5, 10 અને 100 રૂપિયાની જૂની નોટ ચલણમાંથી બહાર થવાના અહેવાલ સામે આવ્યા છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, માર્ચ એપ્રિલ બાદ 5, 10 અને 100 રૂપિયાની જૂની નોટ ચલણમાંથી બહાર થઈ જશે. સોશિયલ મીડિયામાં આ અહેવાલના સ્ક્રીનશોટ અને લિંક શેર કરવામાં આવી રહી છે.


હવે PIBFactCheckએ આ અહેવાલને ખોટા ગણાવ્યા છે એને તેને ફગાવી દેતા દાવો કર્યો છે કે, આ અહેવાલ ખોટા છે. PIBFactCheckએ પોતાના ટ્વિટર હેન્ડલ પર તેની જાણકારી આપતા ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં લખ્યું, “એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, આરબીઆઈ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર માર્ચ 2021 બાદ 5, 10 અને 100 રૂપિયાની જૂની નોટ નહીં ચાલે. PIBFactCheck: આ દાવાને ખોટો ગણાવે છે. આરબીઆઈએ આવી કોઈ જાણકારી નથી આપી.”


ખોટા અહેવાલમાં શું કહેવામાં આવ્યું છે

5 રૂપિયા, 10 રૂપિયા અને 100 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કરવાના પ્રકાશિત અહેવાલમાં અનેક દાવા કરવામાં આવ્યા છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે આરબીઆઈ તેને બંધ કરતા પહેલા લોકોને બેંકમાં જમા કરવાની તક આપશે. ખાતામાં જમા કરાવવાથી જૂની નોટો સરળતાથી રિપ્લેસ કરી શકાશે.

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.