નવી દિલ્હીઃ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનો આજે 10મો દિવસ છે. ખેડૂતોની સરકાર સાથે વાતચીત શરૂ થઈ ગઈ છે. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ચાલી રહેલી મીટિંગમાં 40 ખેડૂત સામેલ છે. સરકાર તરફથી કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર, રેલવેમંત્રી પીયૂષ ગોયલ અને વાણિજ્ય રાજ્ય મંત્રી સોમ પ્રકાશ ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.


વાયરલ વીડિયોમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે  કેટલાક ઉદ્યોગપતિઓના ઈશારે કૃષિ સુધારણા કાયદા પાસ કરવામાં આવ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું છે. પીઆઈબી ફેક્ટે ટ્વિટ કરીને લખ્યું, આ દાવો ખોટો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી તરફથી આવું કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.



નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

10 ડિસેમ્બરે મોદી નવા સંસદ ભવનનો કરશે શિલાન્યાસ, જાણો કેવી છે વિશેષતા

Apple ભારતમાં બનાવશે iPhone, જાણો ક્યાં નાંખશે પ્લાન્ટ ?