રાકેશ ટિકૈતએ કહ્યું કે ભાજપના લોકો ગુંડાગર્દી કરી રહ્યા છે. આંદોલન ચાલુ રાખો, તેમણે ખેડૂતોને સંબોધિત કરતા ગુરુવારે સાંજે કહ્યું કે કંઈ થશે તો પ્રશાસન જવાબદાર ગણાશે. રાકેશ ટિકૈતે કહ્યું કે ભાજપના લોકો ગુંડાગર્દી કરી રહ્યા છે.
ભારતીય કિશાન યૂનિયનના સુપ્રીમો ચૌધરી નરેશ ટિકૈતે કહ્યું કે આંદોલનકારી ગાજીપુર બોર્ડરના ઘરણા સમાપ્ત કરે. તેમણે કહ્યું તમામ સુવિધાઓ બંધ થયા બાદ કઈ રીતે ચાલશે ધરણા. તેમણે કહ્યું કે નેતા, કાર્યકર્તાઓએ ધરણા ખત્મ કરી પરત જવું જોઈએ. નરેશ ટિકૈતે કહ્યું ખેડૂતો સાથે મારપીટ થાય તેનાથી સારૂ છે કે ધરણા પૂર્ણ કરી દે.
ગાજીપુર બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવી છે. ગાજીપુર બોર્ડરને ખાલી કરાવવા માટે અધિકારીઓ પહોંચ્યા છે. ગાજીયાબાદના ડીએમ અને એસએસપી સ્થળ પર પહોંચ્યા છે. રાકેશ ટિકૈતે કહ્યું પ્રશાસનના આવવા પર તેમની સાથે વાત કરશું.