Indore Mega Fire : મધ્યપ્રદેશના ઇન્દોરમાં શુક્રવારે મોડી રાત્રે એક મોટી દૂર્ઘટના ઘટી છે. અહીંના વિજયનગર વિસ્તારના સ્વર્ણ બાગ કૉલોનીમાં બે માળની ઇમારતમાં આગ લાગી ગઇ છે. બતાવવામાં આવી રહ્યું છે કે હ્રદય ધ્રુજાવી દેનારી ઘટનામાં 5 પુરુષો અને 2 મહિલાઓ સહિત 7 લોકોના મોત થઇ ગયા છે.  


આગ લાગવાની જાણકાર મળતા જ ફાયર બ્રિગેડની સાથે સાથે વિજય નગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ફાયરબ્રિગેડ અધિકારીનુ કહેવુ છે કે બની શકે છે કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય. તેમને બતાવ્યુ કે આગ પર કાબુ મેળવવા માટે અમને ત્રણ કલાકનો સમય લાગ્યો.






બતાવવામાં આવી રહ્યું છે કે આગની ઝપેટમાં આવનારી આ ઇમારત ઇસાક પટેલનુ મકાન છે. વળી, જેટલા લોકોના મોત થયા છે તે તમામ લોકો ભાડુઆત બતાવવામા આવી રહ્યાં છે, આમાથી કેટલાક લોકો અભ્યાસ કરતા હતા, તો કેટલાક લોકો નોકરી રહી રહ્યાં હતા. 






મૃતકોના નામ આશીષ, આકાંક્ષા, ગૌરવ, નીતૂ સિસોદિયા છે, જ્યારે બે નામોની પુષ્ટિ નથી થઇ, આ ઉપરાંત આ દૂર્ઘટનામાં ઘાયલ થનારાના નામ ફિરોઝ, મુનિરા, વિશાલ, હર્ષદ અને સોનાલી છે. હાલ પોલીસ દૂર્ઘટનાનો શિકાર થયેલા લોકોની પુરેપુરી જાણકારી એકઠી કરવામાં લાગી છે. 


 


આ પણ વાંચો........ 


Instagram પરથી તમે કોઇ વીડિયો ડાઉનલોડ કરવા ઇચ્છો છો ? તો સમજી લો આ આસાન સ્ટેપ્સ, આસાનીથી કરી શકાશે ડાઉનલૉડ.......


સંસ્કૃત ભાષાને વ્યવહારમાં લાવવા વધુ એક પગલું, સોમનાથ મંદિરના પુજારીઓ સંસ્કૃતમાં વાતચીત કરશે


Health: ઉનાળામાં આ 5 ફૂડનું કરો સેવન, ગરમીમાં પણ રહેશો સ્વસ્થ


Health tips: વજન ઘટાડવા ઘરે બેઠા જ કરો આ કામ સરળતાથી ઉતરી જશે વજન


Sri Lanka Emergency: શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ, રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કરી જાહેરાત