પાલઘરઃ મહારાષ્ટ્રના પાલઘરમાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. જેમાં એકનું મોત અને ત્રણ  લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ બ્લાસ્ટનો અવાજ 10 કિલોમીટર સુધી સંભળાયો હતો.


પાલઘરના કલેકટર કૈલાશ શિંદેના કહેવા મુજબ કેમિકલ ફેક્ટરીમાં થયેલા ઘડાકામાં એકનું મોત થયું છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.