નવી દિલ્લીઃ કેન્દ્રિય નાણામંત્રી અરુણ જેટલીએ જ્વેલરી પર લગાવવામાં આવેલી એક ટકા એક્સાઇઝ ડ્યૂટી  પાછી ખેંચવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે લોકસભામાં કાર્યવાહી દરમિયાન એક્સાઇઝ ડ્યૂટી પાછી ખેંચવાનો ઇનકાર કરતું નિવેદન આપ્યું હતું. નોંધનીય છે કે બજેટમાં જ્વેલરી પર એક ટકા એક્સાઇઝ ડ્યૂટીનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.દેશભરના જ્વેલર્સે સરકાર દ્ધારા લગાવવામાં આવેલી એક્સાઇઝ ડ્યૂટીના વિરોધમાં હડતાલ કરવામાં આવી હતી.