નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની તબિયત નાદુરસ્ત થવાના કારણે તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની ટૂંકી સારવાર બાદ નિધન થયું હતું. રાજનાથસિંહ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ એઈમ્સ પહોંચ્યા છે. 67 વર્ષીય સુષ્મા સ્વરાજને એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હોવાના સમાચાર મળતાં જ સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધન એઈમ્સ પહોંચી ગયા હતા.





પ્રધાનમંત્રી કાર્યલયને પણ સુષ્મા સ્વરાજના તબીયત અંગે જાણ કરવામાં આવી હતી. નીતિન ગડકરી પણ એઈમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. સુષ્મા સ્વરાજના નિધનના સમાચાર મળતાં જ ભાજપના નેતાઓ એઈમ્સમાં પહોંચી ગયા હતા.









સુષ્મા સ્વરાજને જ્યારે એઈમ્સમાં લાવવામાં આવ્યા સભાન અવસ્થામાં નહોતા. રાત્રે 9 કલાકે ગંંભીર અવસ્થામાં તેમને એઈમ્સ લાવવામાં આવ્યા હતા. ત્રણ કલાક પહેલા જ સુષ્મા સ્વરાજે ટ્વિટ કરીને પ્રધાનમંત્રી મોદીને જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવવા મુદ્દે શુભેચ્છા પાઠવી હતી.


67 વર્ષીય સુષ્મા સ્વરાજ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ મંત્રીના પદ પર રહ્યા હતા. સુષ્મા સ્વરાજ વિદેશમાં ફસાયેલા ભારતીયોની મદદ કરવા માટે અને ભારત આવવાનો પ્રયત્ન કરી રહેલા વિદેશીઓની  મદદ કરીને સતત ચર્ચામાં રહેતા હતા. મોદી સરકારના આક્રમક મંત્રીઓમાંથી એક ગણાતા સુષ્મા સ્વરાજે ઘણી વખત આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદના મુદ્દે પાકિસ્તાને આડે હાથે લીધું હતું.


આ વર્ષે જ તેમણે લોકસભા ચૂંટણી નહી લડવાનો નિર્ણય કર્યો હતો. સુષમા સ્વરાજ એપ્રિલ 1990માં સાંસદ બન્યા હતા. અટલ બિહારી વાજપેયીની તેર દિવસની સરકારમાં સુષ્મા સ્વરાજ સૂચના પ્રસારણ મંત્રી રહ્યા હતા. ઓક્ટોબર 1998માં તેમણે કેંદ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામુ આપ્યું અને દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા.




Delhi: Former External Affairs Minister Sushma Swaraj has been admitted to All India Institute of Medical Sciences (AIIMS). More details awaited. (File pic) pic.twitter.com/uYlWhOJoT8


— ANI (@ANI) August 6, 2019