નવી દિલ્હીઃ ભારતમાં 1 એપ્રિલથી સૌથી સ્વચ્છ પેટ્રોલ-ડીઝલ મળવાનું શરૂ થઈ જશે. નવા માપદંડો મુજબ દેશભરમાં BS-6 ઈંધણનો પૂરવઠો શરૂ થઈ જશે તેમ ઈન્ડિયન ઓયલ કોર્પોરેશના એક વરિષ્ઠ અધિકારીએ દાવો કર્યો હતો. ભારતે વાહનોથી થતું પ્રદૂષણ ઘટાડવા બીએસ-4થી બીએસ-6 માપદંડનો અમલ કરવાનો નિર્ણય લીધો હતો અને માત્ર ત્રણ વર્ષમાં તેનું સફળતાપૂર્વક અલમીકરણ કરવા સજ્જ છે. 1 એપ્રિલથી ભારત સૌથી સ્વચ્છ પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ થતો હોય તેવા પસંદગીના દેશોમાં સામેલ થઈ જશે.


ઓયલ ડેપો સુધી પહોંચવા લાગ્યું ઈંધણ

ઈન્ડિન ઓયલના ચેરમેન સંજીવ સિંહે કહ્યું, અમે 1 એપ્રિલથી દેશમાં BS-6 ઈંધણનો પૂરવઠો પૂરો પાડવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. લગભગ તમામ રિફાઈનરી પ્લાન્ટે બીએસ-6 ઈંધણનો પૂરવઠો શરૂ કરી દીધો છે અને આ ઈંધણ દેશના ઓયલ ડેપો સુધી પહોંચવા લાગ્યું છે. આગામી થોડા સપ્તાહમાં જ માત્ર સ્વચ્છ પેટ્રોલ-ડીઝલ દેશભરના મોટાભાગના પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ થઈ જશે.

સરકારી રિફાઈનરી કંપનીઓએ કર્યુ 35,000 કરોડનું રોકાણ

ભારતે 2010માં બીએસ-3 ઉત્સર્જક માપદંડ અપનાવ્યા હતા. બીએસ-3થી બીએસ-4 સુધી પહોંચવામાં દેશને સાત વર્ષ લાગ્યા હતા. સરકારી રિફાઈનરી કંપનીઓએ નવા માપદંડ મુજબ અનુકૂળ ઈંધણ તૈયાર કરવા માટે આશરે 35,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે.

શું છે આ ઈંધણની ખાસિયત

બીએસ-6 પેટ્રોલ અને ડીઝલમાં સલ્ફરની માત્રા માત્ર 10 પીપીએમ હોય છે. જે સીએનજીની જેમ સ્વચ્છ માનવામાં આવે છે.  દિલ્હી-એનસીઆરમાં 1 એપ્રિલ, 2018થી નવા માપદંડો મુજબ ઈંધણનો પૂરવઠો શરૂ કરી દેવામાં આવ્યો હતો. જે બાદ 1 એપ્રિલ, 2019થી સ્વચ્છ ઈંધણનો પુરવઠો રાજસ્થાનના ચાર અને ઉત્તરપ્રદેશના આઠ જિલ્લા સહિત આગ્રામાં શરૂ કરવામાં આવ્યો હતો.  હરિયાણાના સાત જિલ્લામાં આ ઈંધણ 1 ઓક્ટોબર, 2019થી ઉપલબ્ધ થયું હતું. સિંહે કહ્યું કે, નવા ઈંધણથી બીએસ-6 અનુકૂળ વાહનોને નાઈટ્રોજન ઓક્સાઈડ ઉત્સર્જન પેટ્રોલ કારમાં 25% સુધી અને ડીઝલ કારમાં 70% સુધી ઘટી જશે. જે આ ઈંધણની સૌથી મોટી ખાસિયત છે. ઉપરાંત પ્યોર પેટ્રોલ-ડીઝલની પ્રદૂષણમાં પણ નોંધનીય ઘટાડો થશે.

INDvNZ:  ચેતેશ્વર પુજારાને ટેસ્ટ સીરિઝ પહેલા મળી મોટી ભેટ, જાણો વિગતે

 પાકિસ્તાનના આ ખેલાડીએ લખવામાં માર્યો મોટો લોચો, લખ્યું Mother from another brother ને થઈ ગયો ટ્રોલ

હાર્દિક પટેલ સામે જાહેર થયું બિન જામીનપાત્ર વોરંટ, જાણો કયો છે કેસ

India vs New Zealand: પ્રથમ ટેસ્ટમાં ઓપનિંગ કોમ્બિનેશન, ઈશાંત શર્માની ફિટનેસને લઈ કોહલીએ કરી આ મોટી વાત, જાણો વિગત