Chhattisgarh News: છત્તીસગઢમાં હવે આદિવાસીઓની જમીન પર વાવેલા વૃક્ષો કાપવા પર 3 વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો દંડ થશે. આ માટે રાજ્યપાલ અનુસુઇયા ઉઇકેએ (Governor Anusuiya Uikey) છત્તીસગઢ આદિમ જનજાતિ સંરક્ષણ અધિનિયમ 1999ના સંશોધિત બિલને મંજૂરી આપી દીધી છે. જેમાં કલમ 9માં કરાયેલા ફેરફાર મુજબ જો કોઈ આદિવાસીઓની જમીનના વૃક્ષોને કાપશે કે નુકસાન પહોંચાડશે તો તે ગુનાની શ્રેણીમાં આવશે અને તેના માટે સજાની પણ જોગવાઈ છે.


આદિમ જનજાતિ સંરક્ષણ અધિનિયમમાં સુધારો


હકીકતમાં છત્તીસગઢના રાજ્યપાલ અનુસુઇયા ઉઇકેએ સોમવારે છત્તીસગઢ આદિમ જનજાતિ સંરક્ષણ (સુધારા) બિલ 2022 પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં પ્રિન્સિપલ એક્ટની પાંચ કલમોમાં સુધારો કરવામાં આવ્યો છે અને એક કલમ કાઢી નાખવામાં આવી છે. આ માટે રાજ્ય સરકારે વિધાનસભામાં સર્વસંમતિથી બિલ પાસ કરાવ્યું હતું. આ પછી તેને રાજભવન મોકલવામાં આવ્યું હતું. હવે આ કાયદો તેના પર રાજ્યપાલના હસ્તાક્ષર બાદ અમલમાં આવશે.


શું થયો સુધારો


કલમ 4 મુજબ આદિમ આદિજાતિના જમીન માલિકે વૃક્ષ કાપવાની પરવાનગી માટે કલેક્ટરને બદલે સબ-ડિવિઝનલ ઓફિસર (મહેસૂલ)ને અરજી કરવાની રહેશે. કલમ 4 ની પેટા કલમ (2) માં પણ સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ "પેટા વિભાગીય અધિકારી" અરજીની ચકાસણી કરાવશે. આ પછી મહેસૂલ વિભાગ અને વન વિભાગના સંયુક્ત તપાસ અહેવાલને ધ્યાનમાં લીધા બાદ પરવાનગી અંગે નિર્ણય લેવામાં આવશે. જ્યારે મુખ્ય અધિનિયમની કલમ 5 કાઢી નાખવામાં આવી છે.


કલમ 6 અને 8માં આ ફેરફારો કરવામાં આવ્યા છે


કલમ 6માં સુધારો કરવામાં આવ્યો છે કે જમીનના માલિકને નાણાંની ચૂકવણી કાયદા હેઠળ કરવામાં આવેલા નિયમો અને પ્રક્રિયાઓ અનુસાર કરવામાં આવશે. કલમ 8 કોડમાં અપીલ, પુનરાવર્તન અને સમીક્ષાની વાત કરવામાં આવી છે. આ અધિનિયમ હેઠળ પેટા-વિભાગીય અધિકારી (મહેસૂલ) દ્વારા પસાર કરાયેલા કોઈપણ આદેશ પર લાગુ પડશે.


સેક્શન 9માં આ ફેરફાર કરવામાં આવ્યો છે


કલમ 9 ના સુધારા મુજબ, કોઈપણ વ્યક્તિ જે આદિમ આદિવાસીઓની જમીનના વૃક્ષોના કોઈપણ ભાગને કાપે છે, નુકસાન પહોંચાડે છે, કાપી નાખે છે અથવા દૂર કરે છે, તો તેને ત્રણ વર્ષ સુધીની જેલની સજા અને એક લાખ રૂપિયાના દંડની સજા થશે. અગાઉ દંડની રકમ માત્ર દસ હજાર રૂપિયા નક્કી કરવામાં આવી હતી.


જો જમીનના માલિક સામે કોઈ કાવતરું અથવા છેતરપિંડી કરવામાં આવી હોય તો આ પ્રકારના લાકડાને વેચ્યા બાદ અને એ ગુનાહિત મામલાના ઉકેલ બાદ  પેટા વિભાગીય અધિકારી (મહેસૂલ)ના આદેશને આધીન પાંચ લાખ રૂપિયા સુધીની મહત્તમ સીમા હેઠળ 50 ટકા સુધીની સીમાની રાશિ જમીન માલિકને આપવામાં આવશે. જ્યારે કલમ 9ની પેટા કલમ (3) અને (4) બાદ કરવામાં આવી છે.