નવી દિલ્લી: કેંદ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદએ શનિવારે કહ્યું કે 500 અને 1000 રૂપિયાની જૂની નોટ ચલણથી દૂર કરવામાં આવતા તેના પરિણામ જોવા મળી રહ્યું છે. ચાર લાખ કરોડ રૂપિયા બેંકો પાસે આવી ગયા છે.


એક ટ્વીટને રીટ્વીટ કરતા પ્રસાદે કહ્યું નોટબંધીના પરિણામ જોવા મળી રહ્યા છે. જેના કારણે 4 લાખ કરોડ રૂપિયા બેંકો પાસે આવી ગય છે. તેમણે કહ્યું આ નિર્ણયના કારણે માઓવાદીઓ અને આતંકવાદીઓના હાડકાઓ તુટી ગયા છે. મંત્રીએ કહ્યું અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે. સુરક્ષા મજબૂત થઈ રહી છે.