આઈસીજેના ફેંસલા પર પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ખુશી વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું, હું કુલભૂષણ જાધવ મામલે આઈસીજેના ફેંસલાનું દિલથી સ્વાગત કરું છું. આ ભારત માટે ખૂબ મોટી જીત છે. હું આંતરરાષ્ટ્રીય ન્યાયલય સમક્ષ જાધવનો મામલો લઈ જવાની અમારી પહેલ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપું છું.
સુષમા સ્વરાજે અન્ય ટ્વિટમાં કહ્યું, હું હરિશ સાલ્વેને આઈસીજે સમક્ષ ભારતના મામલાને ખૂબ પ્રભાવશાળી રીતે અને સફળતાપૂર્વક રજૂ કરવા માટે અભિનંદન પાઠવું છું. મને આશા છે કે આ ફેંસલાની કુલભૂષણ જાધવના પરિવારના સભ્યોને ખૂબ વધારે જરૂર હતી.