1300ને પાર પહોંચી કોરોના વાયરસના દર્દીની સંખ્યા, 32 લોકોના થયા મોત, 137 થયા ડિસ્ચાર્જ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Mar 2020 07:16 AM (IST)
સરકારે સ્પષ્ટતા કરી કે દેશમાં હાલમાં 21 દિવસનું લોકડાઉન છે જેને આગળ વધારવાની કોઈ યોજના નથી.
નવી દિલ્હીઃ છેલ્લા 24 કલાકમાં ભારતમાં 92 નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે અને ચાર લોકોના મોત થયા છે. ભારતમાં અત્યાર સુધી 1318 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને 32 લોકોના મોત થયા છે. 137 દર્દી ઠીક થયા છે. સૌથી વધારે કેસ કેરળમાં 234 સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 220, યૂપીમાં 96 અને કર્ણાટકમાં 91 કેસ સામે આવ્યા છે. આઈસીએમઆરના ડો. ગંગા કેટકરે કહ્યું કે, ભારતમાં અત્યાર સુધીમાં 38442 પરીક્ષણ કરવામાં આવ્યા છે, જેમાંથી 3501 ટેસ્ટ ગઈકાલે કરવામાં આવ્યા હતા. આપણે હજુ પણ ટેસ્ટ ક્ષમચાછી 30 ટકા ઓછા છીએ. છેલ્લા 3 દિવસમાં 13034 ટેસ્ટ ખાનગી લેબમાં કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, ડીઆરડીઓએ આગામી સપ્તાહથી પ્રતિ દિવસ 20,000 એન-95 માસ્ક બનાવવાનું શરૂ કરી દેશે. સરકારે ગઈકાલે જ સ્પષ્ટતા કરી હતી કે દેશમાં હાલમાં 21 દિવસનું લોકડાઉન છે જેને આગળ વધારવાની કોઈ યોજના નથી. આ પહેલા અટકળો લગાવવામાં આવી રહી હતી કે દેશમાં 90 દિવસ સુધી લોકડાઉન રહેશે. કોરોના વાયરસ વિરૂદ્ધ લડાઈને વધારે આગળ વધાતારતા એઈમ્સએ પોતાના ટ્રોમા સેન્ટરની બિલ્ડિંગને કોવિડ-19ની હોસ્પિટલમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે.