નવી દિલ્હીઃ દેશભરમાં હાલ વરસાદનો કહેર યથાવત છે. અનેક રાજ્યોમાં વરસાદના કારણે પુરની સ્થિતિ સર્જાઇ થઇ છે. ખાસ કરીને કેરાલા, કર્ણાટકા, મહારાષ્ટ્ર અને ગુજરાતા વરસાદના કારણે તબાહી મચી ગઇ છે. લગભગ 106થી વધુ લોકો મોતને ભેટ્યા છે. અહીં વરસાદી કહેરની તસવીરો બતાવવામાં આવી છે.


106 લોકોના મોતની ઘટનામાં, કેરલામાં 42 લોકો વરસાદી પુરના કારણે મોતને ભેટ્યા છે. કર્ણાટકની વાત કરીએ તો અહીં 24 લોકો મૃત્યુ પામ્યા છે.



ભારે વરસાદથી મહારાષ્ટ્ર અને ગુજરાતની અનેક જગ્યાઓએ મૃત્યુના સમાચારો આવ્યા છે. મહારાષ્ટ્રમાં 29 અને ગુજરાતમાં 11 લોકો મોતને ભેટ્યા છે.