બ્રિટેનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન અંગે ગુજરાતના તબિબોનો મત સામે આવ્યો છે. કોવિડના બદલાયેલા સ્વરૂપની ગતિને તબીબોએ ચિંતાજનક ગણાવી છે. તબિબોના મતે કોરોનાના 20 પ્રકાર છે. જે પૈકી સામે આવેલા વાયરસનો આ એક પ્રકાર છે.


તેમનું કહેવું છે કે, 70 ગણી ગતિથી ફેલાતા આ રોગના ભારત આવવાની શક્યતાઓ નહિવત સમાન છે. પરંતુ રાજ્ય સરકારના તબીબોએ આ વાયરસના લક્ષણોથી લઈને સારવાર અને દવાઓ અંગેની માહિતી એકત્ર કરવાની શરૂ કરી છે.

નોંધનીય છે કે, બ્રિટનમાં જોવા મળેલા કોરોનાના નવા વાયરસ કોવિડ-20 ને લઈ દુનિયામાં હાહાકાર મચી ગયો છે. ભારતમાં આ સંક્રમણ ન આવે તે માટે સરકાર પગલાં ભરી રહી છે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે યુકેમાંથી મળી આવેલાSARS-CoV-2 વાયરસના નવા સંસ્કરણના સંદર્ભમાં SOP જાહેર કરી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વાયરસના નવા સંસ્કરણના સંદર્ભમાં રોગચાળાના સર્વેલન્સ અને પ્રતિસાદ માટે એક પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા જારી કરી છે. રાજ્ય સરકારે યુકેથી આવતા મુસાફરો માટે આરટી પીસીઆર પરીક્ષણ થાય તે સુનિશ્ચિત કરવા ઉપરાંત જો પોઝિટિવ રિપોર્ટ આવે તો spike gene-based RT-PCR test લેબમાંથી કરાવવા જણાવ્યુ છે.

જે યાત્રી પોઝિટિવ આવે છે તેમને ઇન્સ્ટિટ્યૂશનલ આઇસોલેશન ફેસેલિટીમાં અલગ અલાયદી વ્યવસ્થા અને તેના સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુના અથવા કોઇ લેબમાં મોકલીને genomic sequencing કરાવવા જણાવાયુ છે.

જો રિપોર્ટમાં સંક્રમણ વાળો વાયરસ કે જે ભારતમાં પહેલેથી જ છે, તો ભારતમાં ટ્રીટમેન્ટ પ્રોટોકોલ હેઠળ સારવાર થવી જોઈએ. જો ગંભીર નથી, તો સારવાર હોમ આઇસોલેસન અથવા ઉપલબ્ધ સુવિધાના સ્તરે થવી જોઈએ.