ટ્રેન્ડિંગ

India-Pakistan Ceasefire: ભારત-પાક. યુદ્ધવિરામ બાદ સિંધુ જળ સંધિ અને શિમલા કરારનું શું થશે?

India-Pakistan Ceasefire: યુદ્ધવિરામ થતાં જ કેમ ઇન્દિરા ગાંધીની યાદ આવી? અમેરિકાની એન્ટ્રીથી ગેમ બદલાઈ ગઈ

વિશ્વના ફક્ત ૨ દેશો પાસે છે 'સુનામી વેપન': સમુદ્રમાં મહાવિનાશ સર્જી શકે તેવા આ ખતરનાક હથિયારોથી અમેરિકા-ચીન પણ ધ્રૂજે છે!

૩૦ રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ: વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

ભારતીય સેનાનો મોટો પ્રહાર: 'ઓપરેશન સિંદૂર'માં ૧૦૦થી વધુ આતંકવાદીઓનો સફાયો, DGMO એ નામ પણ જણાવ્યા!
ભારતીય સેનાના પ્રહારોથી પાકિસ્તાનમાં ભારે તબાહી: માત્ર આતંકીઓ જ નહીં PAK ના આટલા સૈનિકો પણ મર્યા, DGMO એ કર્યો ખુલાસો
હૈદરાબાદઃ પરિવારજનોએ આરોપીઓના મૃતદેહ લેવાનો કર્યો ઇનકાર, પોલીસ કરશે અંતિમ સંસ્કાર
પોલીસના એન્કાઉન્ટર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે જ્યારે અનેક લોકો પોલીસની પ્રશંસા કરી રહ્યા છે અને એન્કાઉન્ટરને યોગ્ય ગણાવી રહ્યા છે.
Continues below advertisement

હૈદરાબાદઃ હૈદરાબાદમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર બાદ હત્યા કરનારા ચારેય આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા. શુક્રવારે સવારે હૈદરાબાદના નેશનલ હાઇવે 44 પર પોલીસ સાથે થયેલા એન્કાઉન્ટરમાં આરોપીઓ ઠાર મરાયા હતા. પોલીસના એન્કાઉન્ટર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે જ્યારે અનેક લોકો પોલીસની પ્રશંસા કરી રહ્યા છે અને એન્કાઉન્ટરને યોગ્ય ગણાવી રહ્યા છે.
એક રિપોર્ટ અનુસાર, આરોપીઓના મૃતદેહને ઘટનાસ્થળથી હટાવવામાં આવી રહ્યા છે. હૈદરાબાદ ગેંગરેપ અને હત્યાના આરોપીઓના મૃતદેહને લેવાનો તેમના પરિવારજનોએ ઇનકાર કર્યો છે. જેને કારણે હવે તેલંગણા પોલીસ તમામ આરોપીઓના અંતિમ સંસ્કાર કરી શકે છે.
આ અગાઉ પોલીસ કમિશનર વીસી સજ્જનરે કહ્યું કે, પોલીસે આરોપીઓને સરેન્ડર માટે કહ્યુ હતું પરંતુ આરોપીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું જેના જવાબમાં પોલીસે પણ ફાયરિંગ કરવું પડ્યુ અને આ દરમિયાન આરોપી માર્યા ગયા હતા. તેમણે કહ્યુ કે આ કાર્યવાહી દરમિયાન બે પોલીસ જવાન પણ ઘાયલ થયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
Continues below advertisement