ભારતમાં સર્જરી પછી દર વર્ષે સરેરાશ 15 લાખ દર્દીઓ ચેપનો ભોગ બને છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના તાજેતરના રિપોર્ટમાં સર્જરી બાદના ચેપ એટલે કે સર્જિકલ સાઇટ ઇન્ફેક્શન (SSI) અંગેની આ ચિંતાજનક પરિસ્થિતિ પ્રકાશમાં આવી છે.


વાસ્તવમાં SSI ત્યારે થાય છે જ્યારે બેક્ટેરિયા સર્જરી દરમિયાન બનાવેલા ચીરામાં પ્રવેશ કરે છે અને ચેપનું કારણ બને છે. ICMR ના અહેવાલ મુજબ, ભારતમાં સર્જરી પછી દર્દીઓમાં SSI ચેપનો દર 5.2 ટકા છે જે ઘણા વિકસિત દેશો કરતા વધારે છે.


રિપોર્ટમાં ઘણી બધી બાબતો બહાર આવી


રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હાડકા, સ્નાયુઓ સંબંધિત સર્જરી અથવા ઓર્થોપેડિક સર્જરીના કિસ્સાઓમાં SSI દર 54.2 ટકા છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. આ સમસ્યાનો સામનો કરવા માટે ICMR એ SSI સર્વેલન્સ નેટવર્ક લોન્ચ કર્યું છે.


તેનો ઉદ્દેશ્ય દેશભરના ડોકટરોને આવા ચેપને રોકવામાં મદદ કરવાનો છે. ICMR એ ત્રણ મુખ્ય હોસ્પિટલો - AIIMS દિલ્હી, કસ્તૂરબા હોસ્પિટલ, મણિપાલ અને ટાટા મેમોરિયલ હોસ્પિટલ મુંબઈમાં 3,090 દર્દીઓની સર્જરીઓ પર આ અભ્યાસ હાથ ધર્યો હતો.


આ દર્દીઓને SSI થવાનું જોખમ સૌથી વધુ હોય છે


અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઓર્થોપેડિક સર્જરી કરાવતા દર્દીઓમાં SSIનું જોખમ વધારે હતું. કુલ દર્દીઓમાંથી 161 દર્દીઓ (5.2 ટકા) શસ્ત્રક્રિયા પછી SSIથી પીડાતા હતા. 120 મિનિટ કે બે કલાકથી વધુ સમય સુધી ચાલેલી સર્જરી પછી દર્દીઓને SSI થવાનું જોખમ વધારે હોય છે.


અભ્યાસમાં જણાવાયું છે કે SSIને ઓળખવા માટે ડિસ્ચાર્જ પછી દર્દીઓનું નિરીક્ષણ મહત્વપૂર્ણ છે. 66 ટકા કિસ્સાઓમાં દર્દીઓમાં હોસ્પિટલ છોડી ગયા પછી SSI મળી આવ્યા હતા. ડિસ્ચાર્જ પછીના સર્વેલન્સથી 66 ટકા SSI કેસ શોધવામાં મદદ મળી હતી.                                                                                                      


HMPV Protection: HMPV માટે વેક્સિન નથી બની તો પછી સંક્રમણ કઇ રીતે રોકી શકાશે, જાણો શું કહે છે ડૉક્ટર