જમ્મુ-કાશ્મીર: રાજૌરીમાં LOC પાસે બ્લાસ્ટ, સેનાના મેજર શહીદ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Feb 2019 05:50 PM (IST)
નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં જ ફરી એક વખત જમ્મુ-કાશ્મીરની ધરતી લોહીયાળ થઈ છે. મળતી માહિતી મુજબ એલઓસી નજીક આઈઆડી બ્લાસ્ટમાં સેનાના મેજર શહીદ થયા છે. આ બ્લાસ્ટ કઈ રીતે થયો તેની હાલ કોઈ માહિતી નથી મળી. બે જવાન પણ ઈજાગ્રસ્ત થયા હવોના પ્રાથમિક અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલો થયો હતો, જેમાં 40 જવાન શહીદ થયા હતા. આ હુમલો ગુરૂવારે થયો જ્યારે સીઆરપીએફના 2500 જવાનોનો કાફલો શ્રીનગર જઈ રહ્યો હતો.