શિવસેના નેતા સંજય રાઉતે રામ મંદિરના નિર્માણની શરૂઆત જલદી કરવાની માંગ કેન્દ્ર સરકાર પાસે કરી છે. રાઉતે કહ્યું કે, જો આજે કાયદો બનાવવામાં નહી આવે તો ક્યારેય પણ રામ મંદિર બની શકશે નહીં. આજે અમારી પાસે બહુમત છે. આપણે જાણતા નથી કે 2019 બાદ શું સ્થિતિ થશે. કોર્ટ રામ મંદિર વિવાદનો ઉકેલ લાવી શકશે નહી કારણ કે આ વિશ્વાસનો મામલો છે. આ રાજકીય ઇચ્છાશક્તિનો મામલો છે અને વડાપ્રધાન મોદી એવું કરી શકે છે.
અયોધ્યામાં રામ મંદિરને લઇને એઆઇએમઆઇએસ નેતા અસદુદ્દીન ઓવૈસીના નિવેદનને લઇને રાઉતે કહ્યું કે, અસદુદ્દીને ઓવૈસીને હૈદરાબાદ સુધી જ રહેવું જોઇએ. રામ મંદિર અયોધ્યામાં બનશે હૈદરાબાદ પાકિસ્તાન અથવા ઇરાનમાં નથી. ઓવૈસી જેવા લોકોએ મુસ્લિમ સમુદાયને પોતાની રાજનીતિ માટે ભટકાવવા માટેનું કામ કરે છે જેનું ભવિષ્યમાં મોટું નુકસાન ઉઠાવવું પડશે.