કાનપુરઃ કોરોનાકાળમાં માસ્ક જીવ બચાવાવનું સાધન બની ગયું છે. માટે આઈઆઈટી કાનપુરના લોકોએ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વિશેષ પ્રકારનું ફેશનેબલ ડિઝાઈનર માસ્ક તૈયાર કર્યું છે, જે કોરોના સંક્રમણને રોકવામાં કારગર સાબિત થશે.


આ માસ્ક આઈઆઈટી કાનપુરમાં ઇનક્યૂબેટેડ કંપની ઈ-સ્પિને બનાવ્યું હતું. ઈ-સ્પિનના ડાયરેક્ટર ડો. સંદીપ પાટિલે કહ્યું કે, “માસ્કની જાત પૂરી રીતે દેસી છે. પહેલા લોન્ચ કરવામાં આવેલ સફેદ-કાળા માસ્ક ઉપરાંત અમે એન95ની ડિઝાઈન કલરફુલ મલ્ટીફેશન સાથે જોડી છે. તેને ટૂંકમાં જ લોન્ચ કરવામાં આવશે.” આ માસ્ક બજારમાં મળતા અન્ય માસ્ક કરતાં અલગ છે.

ડો. પાટિલે કહ્યું કે, તેની વિઝિબિલિટી, ફિલ્ટરેશન અને ક્ષમતા અન્ય માસ્કની તુલનામાં અમારા બનાવેલ માસ્કમાં સારી છે. આ માસ્કથી બેક્ટેરિયા અને વાયરસના હુમલાથી તમે સુરક્ષિત રહી શકો છો. આ પ્રથમ એવું માસ્ક છે જે નીલ્સન દ્વારા સર્ટિફાઈડ છે. આ માસ્ક 300 નેનોમીટર પાર્ટિકલને રોકવામાં સક્ષમ છે. તેની કિંમત ઘણી ઓછી રાખવામાં આવી છે. આ ઓક્ટોબરના બીજા સપ્તાહમાં લોકોને સરળતાથી મળા લાગશે. તેમણે કહ્યું કે, “અમારા માસ્કનો ઉપયોગ પીએમએ 5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં ભૂમિ પૂજન દરમિયાન કર્યો હતો.

ઈ-સ્પિનના ડાયરેક્ટર નિતિન ચરાઠે કહ્યું કે, આ માસ્ક વાયરસ, બેક્ટેરિયા, ધુળ, ધુમાડો વગેરેથી પૂરી રીતે સુરક્ષિત રાખે છે. ઓનલાઈન પ્લેટફોર્મ અને બજારમાં આ માસ્ક ‘શ્વાસા’ નામથી ઉપલબ્ધ છે. આ માસ્ક કંપનીની વેબસાઈટની સાથે સાથે અનેક મુખ્ય ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.