કાશ્મીર મામલા પર વૈશ્વિક સમુદાયથી અલગ થયા બાદ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની વૈશ્વિક સમુદાય વિરુદ્ધની પોતાની બેચેની સ્પષ્ટ જોવા મળી રહી છે. તાજેતરમા જ તેમણે ભારત સાથે પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી.
કાશ્મીર પર પાકિસ્તાનને કોઇ સમર્થન ના મળતા ઇમરાને કહ્યુ હતું કે ઇન્ટરનેશનલ સમુદાય માટે એ જરૂરી છે કે તે બિઝનેસ અને વ્યાવસાયિક ફાયદાથી અલગ વિચારે. નોઁધનીય છે કે તાજેતરમાં જ ઇમરાને કહ્યુ હતું કે, પરમાણુ હથિયારોથી સજ્જ ભારત અને પાકિસ્તાન વચ્ચે જો યુદ્ધ થયુ તો તેનું પરિણામ ફક્ત બે દેશો સુધી સિમિત નહી રહે. દુનિયાને તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે.