નવી દિલ્લી:  આવકવેરા વિભાગે ટેક્સ નહીં ભરનાર સામે પગલા લેવા માટે નિર્ણય લીધો છે ઇન્કમ ટેક્સની લેણી રકમ નહીં ભરનારનો પાન નંબર લોક કરી દેવામાં આવશે.  ટૂંક સમયમાં આ નિર્ણયનો અમલ કરવામાં આવશે. પાન નંબર લોક કરાયો છે એની જાણ બેંકને પણ કરવામાં આવશે. જે બાદ બેંક લોન મેળવવા અને મિલકતની ખરીદી વેંચાણ માટે કરવા પડતા વ્યવહારો સ્થગિત થઇ જશે તાજેતરમાં નાણામંત્રાલયની બેઠકમાં ઇન્કમ ટેકસ ડિફોલ્ટરના કિસ્સામાં પાન નંબર બ્લોક કરી કરદાતાને નોટિસ આપવામાં આવશે. અને પછી પાન નંબર બ્લોક કરવામાં આવશે. પાન નંબર બ્લોક થતા કોઇ આઇટી રિર્ટન પણ ફાઇલ થશે નહીં. જેથી વાર્ષિક હિસાબને પણ સીધી અસર થશે