Sunderlal Bahuguna: આપણા દેશના લોકો પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ છે. આના પરથી એ પણ જાણવા મળે છે કે આપણા દેશમાં કુદરતની પૂજા કરવામાં આવી છે, પરંતુ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળ્યા બાદ ઔદ્યોગિક વિકાસ અને આડેધડ બાંધકામને કારણે પર્યાવરણને બાજુ પર રાખવાનું શરૂ થયું. વૃક્ષો કપાયા અને તેના કારણે પર્યાવરણને અસર થવા લાગી.


વિશ્વમાં પહેલેથી જ થઈ રહેલી ઔદ્યોગિક ક્રાંતિને કારણે પર્યાવરણ પર ખરાબ અસર પડી હતી. આવી સ્થિતિમાં દેશના અનેક મહાન પર્યાવરણ પ્રેમીઓએ તેના સંરક્ષણ માટે પ્રયત્નો કર્યા. આવા જ એક પર્યાવરણ પ્રેમી સુંદરલાલ બહુગુણા હતા, જેમણે ચિપકો આંદોલન દ્વારા પર્યાવરણ અને વૃક્ષોના મહત્વ વિશે સંદેશો આપ્યો હતો. આ લેખમાં, અમે તમને સુંદરલાલ બહુગુણા અને પર્યાવરણ પ્રત્યેના તેમના યોગદાન વિશે જણાવીશું-


સુંદરલાલ બહુગુણાપર્યાવરણ સંરક્ષણ માટે જીવનભર પ્રયત્નો કરનારા યોદ્ધા


પર્યાવરણવાદી અને સ્વાતંત્ર્ય સેનાની સુંદરલાલ બહુગુણાનો જન્મ 9 જાન્યુઆરી 1927ના રોજ ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં ભાગીરથી નદીના કિનારે મર્દરા ગામમાં થયો હતો. તેઓ ગાંધીવાદી પર્યાવરણવાદી હતા. તેમણે મહાત્મા ગાંધીના અહિંસા અને સત્યાગ્રહના સિદ્ધાંતોને અપનાવીને શાંતિપૂર્ણ રીતે 'ચિપકો આંદોલન'નું નેતૃત્વ કર્યું અને તેને સફળ બનાવ્યું.




પ્રખ્યાત ગઢવાલી પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણા ચિપકો આંદોલનના નેતા છે. ચિપકો આંદોલનમાં તેમની ભૂમિકા મહત્વની માનવામાં આવી હતી. તેમણે વર્ષોથી હિમાલયમાં જંગલોના સંરક્ષણ માટે લડાઈ લડી. સુંદરલાલ બહુગુણાએ પહેલી વાર 1970ના દાયકામાં ચિપકો આંદોલનના સભ્ય તરીકે અને બાદમાં 1980થી શરૂ થઈને 2004ની શરૂઆતમાં ટિહરી બાંધ વિરોધી આંદોલનની આગેવાની કરી હતી.


સુંદરલાલ બહુગુણાએ 80ના દશકમાં ઈન્દિરા ગાંધીને આગ્રહ કરીને 15 વર્ષો સુધી વૃક્ષો કાપવા પર રોક પણ લગાવડાવી હતી. બહુગુણાએ ટિહરી બાંધના વિરોધમાં પણ જોરદાર આંદોલન ચલાવ્યુ હતુ. સુંદરલાલ બહુગુણાએ હિમાલયની યાત્રા પણ કરી હતી અને ઘણી વાર પર્યાવરણ મુદ્દે ભૂખ હડતાળ પણ કરી હતી.


ચિપકો આંદોલન એક રીતે જંગલોની અવ્યવહારુ રીતે કાપણીને રોકવા માટે શરૂ કરવામાં આવ્યુ હતુ. આ આંદોલનની શરૂઆત 1973માં થઈ હતી. જંગલોની કાપણીને રોકવા માટે આશ્રિત લોકોએ વૃક્ષો સાથે ચિપકીને આ આંદોલનની શરૂઆત કરી હતી જેથી વૃક્ષ કાપનારા લોકો વૃક્ષોને કાપી ન શકે. આ આંદોલનમાં મહિલાઓ અને પુરુષો બંને શામેલ હતા.


ગત વર્ષે મે મહિનામાં 94 વર્ષની વયે તેમનું નિધન થયું હતું.