Independence Day 2024 Live: લાલ કિલ્લા પરથી PM મોદીએ કહ્યુ- 'રિફોર્મ રાજકીય મજબૂરી નહી, અમે નેશન ફર્સ્ટના સંકલ્પથી પ્રેરિત'

આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સતત 11મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે. આ દરમિયાન તેઓ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન પણ કરશે.

gujarati.abplive.com Last Updated: 15 Aug 2024 11:13 AM

બ્રેકગ્રાઉન્ડ

ભારત આજે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સતત 11મી વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે. આ દરમિયાન તેઓ લાલ કિલ્લા પરથી...More

Independence Day 2024: તમામ રાજકીય પક્ષોએ વન નેશન વન ઇલેક્શન માટે આગળ આવવું જોઈએ - PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે આજે દરેક કામને ચૂંટણીના રંગમાં રંગી દેવામાં આવે છે. તમામ રાજકીય પક્ષોએ પોતપોતાના વિચારો વ્યક્ત કર્યા છે. એક કમિટી પોતાનો રિપોર્ટ તૈયાર કરી રહી છે. વન નેશન, વન ઇલેક્શન માટે દેશે આગળ આવવું પડશે. હું રાજકીય પક્ષોને વિનંતી કરું છું કે ભારતની પ્રગતિ માટે વન નેશન, વન ઇલેક્શનના સ્વપ્નને સાકાર કરવા આગળ આવે.