આ વખતે સમગ્ર દેશમાં ભારત 15 ઓગસ્ટ 2024 ના રોજ તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. સ્વતંત્રતા દિવસ દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે વર્ષ 1947માં 15મી ઓગસ્ટને આઝાદીના દિવસ તરીકે કેમ પસંદ કરવામાં આવ્યો ? આજે અમે તમને 15 ઓગસ્ટ પસંદ કરવા પાછળનું કારણ જણાવીશું, અહીં જાણો 15મી ઓગસ્ટની તારીખને લઇને શું છે મહત્વની હિસ્ટ્રી.


ભારતની આઝાદી  
ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ સત્તાવાર રીતે આઝાદી મળી હતી. આ વખતે સમગ્ર દેશ 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. પરંતુ હવે પ્રશ્ન એ છે કે 15મી ઓગસ્ટને આઝાદીના દિવસ તરીકે કેમ પસંદ કરવામાં આવ્યો ?


15 ઓગસ્ટે જ કેમ મનાવાય છે સ્વતંત્રતા દિવસ ? 
બ્રિટિશ શાસન અનુસાર 30 જૂન 1948ના રોજ ભારતને આઝાદી મળવાની હતી, પરંતુ તે જ સમયે નહેરુ અને ઝીણા વચ્ચે ભારત અને પાકિસ્તાનનું વિભાજન મોટો મુદ્દો બની ગયો હતો. જિન્નાની પાકિસ્તાનની માંગને કારણે લોકોમાં સાંપ્રદાયિક સંઘર્ષની સંભાવનાને જોતા, 15 ઓગસ્ટ 1947ના રોજ જ ભારતને આઝાદી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ માટે 4 જુલાઈ 1947ના રોજ માઉન્ટબેટન દ્વારા બ્રિટિશ હાઉસ ઓફ કૉમન્સમાં ભારતીય સ્વતંત્રતા બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલને બ્રિટિશ સંસદ દ્વારા તરત જ મંજૂરી આપવામાં આવી હતી અને 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતની આઝાદીની જાહેરાત કરવામાં આવી હતી.


15 ઓગસ્ટનો જ દિવસ કેમ 
ભારતના છેલ્લા વાઇસરૉય લૉર્ડ માઉન્ટબેટનના જીવનમાં 15 ઓગસ્ટનો દિવસ ખૂબ જ ખાસ હતો. હકીકતમાં 15 ઓગસ્ટ, 1945 ના રોજ જાપાની સેનાએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજોને આત્મસમર્પણ કર્યું. તે સમયે લૉર્ડ માઉન્ટબેટન બ્રિટિશ આર્મીમાં સાથી દળોના કમાન્ડર હતા. માઉન્ટબેટનને જાપાની સેનાના શરણાગતિનો સંપૂર્ણ શ્રેય આપવામાં આવ્યો હતો, તેથી માઉન્ટબેટને 15 ઓગસ્ટને તેમના જીવનનો શ્રેષ્ઠ દિવસ ગણાવ્યો હતો. તેથી જ તેમણે 15મી ઓગસ્ટને ભારતની આઝાદીના દિવસ તરીકે પસંદ કર્યો હતો.


આઝાદીમાં કેમ સામેલ ના થયા મહાત્મા ગાંધી 
મહાત્મા ગાંધીએ 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો. સ્વતંત્રતા સમયે જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલે મહાત્મા ગાંધીને સ્વતંત્રતા દિવસ પર તેમને આશીર્વાદ આપવા માટે પત્રો મોકલ્યા હતા. પરંતુ પત્રના જવાબમાં મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે જ્યારે દેશમાં સાંપ્રદાયિક રમખાણો થઈ રહ્યા છે, ત્યારે આવી સ્થિતિમાં તેઓ સ્વતંત્રતાની ઉજવણીમાં કેવી રીતે ભાગ ના લઈ શકે. તે સમયે મહાત્મા ગાંધીએ પોતાના પત્રમાં કહ્યું હતું કે હું 15 ઓગસ્ટે ખુશ નહીં રહી શકું. હું તમને છેતરવા નથી માંગતો, પરંતુ તે જ સમયે હું એમ કહીશ નહીં કે તમારે પણ ઉજવણી ના કરવી જોઈએ. તેમણે કહ્યું હતું કે કમનસીબે આજે જે રીતે આપણને આઝાદી મળી છે તેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભાવિ સંઘર્ષના બીજ પણ સમાયેલા છે. મારા માટે આઝાદીની ઘોષણા કરતાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે શાંતિ વધુ મહત્વપૂર્ણ છે.