નવી દિલ્લીઃ દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,64,202 કોરોનાના કેસ નોંધાયા હતા. જે ગઈ કાલ કરતાં 6.7 ટકા વધારે છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 1,09,345 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે દેશના કુલ એક્ટિવ કેસ 12,72,073 થયા છે. દૈનિક પોઝિટીવી રેટ 14.78 ટકા છે. તો ઓમિક્રોના કુલ કેસો 5753 થયા છે. 






રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11,176  કેસ નોંધાયા છે. બીજી તરફ 4285  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,36,140 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 93.23 ટકાએ પહોંચ્યો છે.રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  5 મોત થયા. આજે 3,11,217 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3673, સુરત કોર્પોરેશનમાં 2690,  વડોદરા   કોર્પોરેશનમાં 950,  રાજકોટ કોર્પોરેશનમાં 440, વલસાડમાં 337, ગાંધીનગર કોર્પોરેશનમાં 319, ભરૂચમાં 308, સુરતમાં 243, ભાવનગર કોર્પોરેશનમાં 198. જામનગર કોર્પોરેશનમાં 170, નવસારીમાં 155, ગાંધીનગરમાં 134, રાજકોટમાં 133, કચ્છમાં 129, મહેસાણામાં 117, આણંદમાં 103, ખેડામાં 101, વડોદરામાં 97, અમદાવાદમાં 81, પાટણમાં 80, મોરબીમાં 78, બનાસકાંઠામાં 75, ગીર સોમનાથમાં 69, જૂનાગઢ કોર્પોરેશનમાં 68, સુરેન્દ્રનગરમાં 56, અમરેલીમાં 52, સાબરકાંઠામાં 51, જામનગરમાં 46, દાહોદમાં 39, ભાવનગરમાં 38, પંચમહાલમાં 29, દેવભૂમિ દ્વારકામાં 28, મહીસાગરમાં 28, નર્મદામાં 19, જૂનાગઢમાં 17, તાપીમાં 10, અરવલ્લીમાં 5, પોરબંદરમાં 5, છોટા ઉદેપુરમાં 3, ડાંગમાં 2 નવા કેસ નોંધાયા છે. ફક્ત બોટાદ જિલ્લામાં જ એક પણ નવો કોરોનાનો કેસ નોંધાયો નથી.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 50,612  કેસ છે. જે પૈકી 64 વેન્ટીલેટર પર છે, જ્યારે 50,548 નાગરિકો સ્ટેબલ છે. 8,36,140 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,142 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 5  મૃત્યુ થયા. અમદાવાદ કોર્પોરેશનમાં એક, સુરત કોર્પોરેશનમાં એક, વલસાડમાં એક, રાજકોટમાં એક, ભાવનગરમાં એકના મોત થયા હતા.


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 27 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 731 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 10082 લોકોને પ્રથમ અને 28,720 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 55,215 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 76,820 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 50,582 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 89,040 લોકોને અપાયો છે.  આજે કુલ 3,11,217 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,44,44,918 લોકોને રસી અપાઈ છે.