Coronavirus Cases Today in India:  ભારતમાં કોરોના કેસમાં ફરી વધારો થયો છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં  4270 નવા કેસ નોંધાયા છે અને 15 સંક્રમિતોના મોત  થયા છે. એક્ટિવક કેસ 24 હજારને પાર થયા છે.



  • 4  જૂન શનિવારે 3962 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા હતા.

  • 3 જૂન શુક્રવારે 4041 નવા કેસ નોંધાયા અને 10 સંક્રમિતોના મોત થયા હતા

  • 2 જૂન ગુરુવારે 3712 નવા કેસ અને 5 સંક્રમિતોના મોત થયા હતા.

  • 1 જૂન બુધવારે 2745 નવા કેસ નોંધાયા અને 6 સંક્રમિતોના મોત થયા હતા.


એક્ટિવ કેસ કેટલા છે ?


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 24,052 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,692પર પહોંચ્યો છે. દેશમાં 4,26,28,073 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 194,09,46,157 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 11,92,427 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.


ફરી એકવાર દેશમાં કોરોનાના કેસો વધતા કેન્દ્ર સરકાર ચિંતામાં, આ પાંચ રાજ્યોને લખ્યો પત્ર, જાણો વિગતે


ગયા અઠવાડિયે કૉવિડ (Covid-19)ના કેસો ઝડપથી વધવા લાગ્યા છે અને સાપ્તાહિક સંક્રમણ દર (Weekly Infection Rate) માં વૃદ્ધિ થવાની વાતને ધ્યાનમાં રાખતા કેન્દ્ર (Centre) એ પાંચ રાજ્યો (States)ને કોરોના વાયરસ (Coronavirus) ના કોઇપણ પ્રકારના પ્રસારને નિયંત્રિત કરવા માટે નજર રાખવા અને જરૂર પડવા પર સાવધાનીભર્યા પગલાં ભરવાની સલાહ આપી છે.


કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ભૂષણે તામિલનાડુ, કેરળ, તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રને કોરોના મામલે એક પત્ર લખ્યો છે, પત્રમાં કહેવાયુ છે કે, ભારતમાં કૉવિડ 19ના  કેસોમાં કેટલાક રાજ્યોમાથી વધુ કેસો સામે આવી રહ્યાં છે. જેનાથી સંક્રમણના પ્રસારના સ્થાનીયકરણ થવાની સંભાવનાના સંકેત મળે છે.ભૂષણે કહ્યું કે, એટલા માટે જન સ્વાસ્થ્ય પ્રતિક્રિયા પર એક જોખમ આંકલન આધારિત વલણનુ અનુપાલન કરવાની જરૂર છે. સાથે જ મહામારી સામે લડવામાં અત્યાર સુધી મળેલી સફળતાને પણ ના ગુમાવવી જોઇએ. પત્રમાં તેમને કૉવિડ કેસોમાં છેલ્લા ત્રણ મહિનાઓમાં દેશમાં ખુબ કમી આવવાનો ઉલ્લેખ કર્યો છે.