India Coronavirus Update:  ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં 201 દિવસ બાદ 20 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 18,795 નવા કેસ અને 179  સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 26,030 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

  એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,92,206 પર પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 11,699 નવા કેસ નોંધાયા હતા અને 58 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.  


છેલ્લા 12 દિવસમાં નોંધાયેલા કેસ



  • 16 સપ્ટેમ્બરઃ 30,570

  • 17 સપ્ટેમ્બરઃ34,403

  • 18 સપ્ટેમ્બરઃ 35,662

  • 19 સપ્ટેમ્બરઃ30,773

  • 20 સપ્ટેમ્બરઃ 30,256

  • 21 સપ્ટેમ્બરઃ 26,115

  • 22 સપ્ટેમ્બરઃ 26,964

  • 23 સપ્ટેમ્બરઃ 31,923

  • 24 સપ્ટેમ્બરઃ 31,382

  • 25 સપ્ટેમ્બરઃ 29,616

  • 26 સપ્ટેમ્બરઃ 28,326

  • 27 સપ્ટેમ્બરઃ 26,041




દેશમાં કોરોનાની શું છે સ્થિતિ



  • કુલ કેસઃ 3 કરોડ 36 લાખ 97 હજાર 581

  • કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 29 લાખ 58 હજાર 002

  • કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 92 હજાર 206

  • કુલ મોતઃ 4 લાખ 47 હજાર 373


દેશમાં કેટલા લોકોને અપાઈ રસી


દેશમાં અત્યાર સુધીમાં 87,07,08,6361 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 1,022,22,525 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.  


લાન્સેટ પત્રિકા દ્વારા જારી એક સ્ટડીમાં દાવો કરાયો છે કે હાલની સિૃથતિ મુજબ લોકોને કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ આપવાની જરૂર નથી. કેમ કે જે ડોઝ અપાયો છે તેની ઘણી સારી અસર જોવા મળી રહી છે. રસી હાલ ડેલ્ટા કે આલ્પા વેરિઅન્ટમાં પણ અસરકારક સાબિત થઇ રહી છે એવામાં કોવિન વેક્સિન બૂસ્ટર્સ આપવાની હાલ જરૂર નથી.