UP Cabinet: ઉત્તરપ્રદેશમાં આવતીકાલે યોગી કેબિનેટનું વિસ્તારણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સાત નવા મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી છે. મુખ્યમંત્રી ટ્વિટ કરી તેની જાણકારી આપી હતી. કેબિનેટ મંત્રી જિતિન પ્રસાદને ટેકનિકલ શિક્ષણ વિભાગ આપવામાં આવ્યો છે. જિતિન પ્રસાદ કૉંગ્રેસ છોડી થોડા મહિનાઓ પહેલા જ ભાજપમાં જોડાયા હતા.ત્યારથી તેને મંત્રી બનાવવાની અટકળો લગાવવામાં આવી રહી છે. ગઈ કાલે જ યોગી સરકારમાં નવા મંત્રી મંડળની શપથવિધિ યોજાઈ હતી. પીના રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેથી સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે.



રાજ્ય મંત્રી પલટૂ રામને સૈનિક કલ્યાણ, હોમગાર્ડ, પ્રાંતીય રક્ષક અને નાગરિક સુરક્ષા વિભાગ, રાજ્યમંત્રી ડો.સંગીતા બળવંતને સહકાર વિભાગ આપવામાં આવ્યો છે, રાજ્યમંત્રી ધર્મવીર પ્રજાપતિને આદ્યોગિક વિકાસ વિભાગ આપવામાં આવ્યો છે. રાજ્ય મંત્રી છત્રપાલ સિંહ ગંગવારને મહેસુલ વિભાગની જવાબદારી મળી છે, રાજ્યમંત્રી સંજીવ કુમારને સમાજ કલ્યાણ અને અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ વિભાગ, રાજ્ય મંત્રી દિનેશ ખાટીકને જળ શક્તિ અને પૂર નિયંત્રણ વિભાગની જવાબદારી મળી છે.


મુખ્યમંત્રીએ ટ્વીટ કરી કહ્યુ- 'ઉત્તર પ્રદેશ મંત્રીમંડળમાં કાલે સામેલ થયેલા નવા સભ્યોને આજે વિભાગોની જવાબદારી પ્રાપ્ત થઈ ગઈ છે. મને વિશ્વાસ છે કે તમારા બધાના કુશલ, અનુભવી અને કર્મઠ નેતૃત્વમાં સંબંધિત વિભાગ વિકાસની નવી ઉંચાઈઓ પર પહોંચશે. તમને બધાને ઉજ્જવળ કાર્યકાલ માટે અનંત શુભકામનાઓ.'


ઉત્તર પ્રદેશ મંત્રીમંડળમાં રવિવારે સાત મંત્રીઓએ શપથ લીધા હતા. મંત્રીઓની પસંદગીમાં જાતીય અને પ્રાદેશિક સમીકરણ સાધતા આગામી વર્ષની શરૂઆતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખવામાં આવી છે. રાજ્યમાં જે સાત નવા મંત્રી બન્યા છે તેમાં ત્રણનો સંબંધ પછાત વર્ગ, ત્રણ દલિત સમાજ અને એક બ્રાહ્મણ સમુદાયથી છે. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી ભાજપ સરકારનો આ ત્રીજો મંત્રીમંડળ વિસ્તાર છે.