નવી દિલ્હી: ભારત સરકારે પાકિસ્તાને મોટો કુટનીતિક ઝટકો આપ્યો છે. ગૃહમંત્રાલયે જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા દ્વારા પાકિસ્તા સાથે થયો વેપારને રોકી દેવાનો આદેશા આપ્યો છે. ગૃહમંત્રાલયના આદેશમાં કહેવામાં આવ્યું કે તપાસ એજન્સીઓને ખબર પડી હતી કે પાડોશી દેશ દ્વારા હથિયાર, કેફી દ્રવ્યો અને નકલી નોટો માટે આ માર્ગનો દુરઉપયોગ કરવામાં આવે છે. આ પગલું ઉઠાવવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયનાં આદેશમાં કહેવામાં આવ્યું કે ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરનાં ચકન-દા-બાગ અને સલામાબાદમાં એલઓસી વેપારને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી તે રિપોર્ટના આધાર પર કરવામાં આવી છે કે પાકિસ્તાન સ્થિત તત્વો દ્વારા હથિયારો, નશીલા પદાર્થો અને નકલી નોટો ફેલાવવા માટે આ વેપાર માર્ગનો દુરઉપયોગ કરે છે. એલઓસી વેપાર અત્યારે બારામૂલા જિલ્લાનાં ઉરીનાં સલામાબાદમાં અને પુંછ જિલ્લાનાં ચકન-દા-બાગમાં 2 વેપારી કેન્દ્રોથી સંચાલિત થાય છે.


આ વેપાર અઠવાડિયામાં 4 દિવસ હોય છે અને આ બાર્ટર સીસ્ટમ અને ડ્યૂટી ફ્રી પર આધારિત છે. સરકારે નિવેનદનમાં કહ્યું કે એક મજબૂત દિશા-નિર્દેશ અને અમલીકરણ સીસ્ટમ પર કામ ચાલી રહ્યું છે અને આને અલગ અલગ એજન્સીઓની સલાહથી લાગુ કરવામાં આવશે.