રેલવે સ્ટેશનો પર મુસાફરોમેકડોનાલ્ડ્સ, કેએફસી અને પિઝા હટ જેવી લોકપ્રિય બ્રાન્ડનાફૂડ્સ આનંદ માણી શકશે. આ માટે રેલવે બોર્ડે તેની કેટરિંગ નીતિમાં સુધારો કર્યો છે. લોકપ્રિય બ્રાન્ડ્સનાઆઉટલેટ્સ શરૂ કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે, જેનાથી મુસાફરોને રેલવે સ્ટેશનો પર વધુ ફૂ઼ડ્સનાવિકલ્પો મળશે.

રેલવે કેટરિંગ નીતિ 2017 અનુસાર, રેલવે સ્ટેશનો પરના સ્ટોલને ત્રણકેટેગરીમાંવિભાજિત કરવામાં આવ્યા હતા. ચાનાસ્ટોલ, મિલ્કના બાર અને જ્યુસ બાર. આ સ્ટોલ પર પીણાં, હળવ નાસ્તો આપવામાં આવતો હતો. હવે, કેટરિંગ નીતિમાં પ્રીમિયમબ્રાન્ડઆઉટલેટકેટેગરીનોસમાવેશ કરવા માટે સુધારો કરવામાં આવ્યો છે. પાંચ વર્ષ માટે ઈ-ઓક્શન દ્વારા આઉટલેટ્સફાળવવામાં આવશે. આ ફેરફારથીમેકડોનાલ્ડ્સ, કેએફસી અને પિઝા હટ જેવી લોકપ્રિય બ્રાન્ડનાઆઉટલેટ્સ રેલવે સ્ટેશનો પર ખોલવાની મંજૂરી મળશે.

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCT) ઇ-કેટરિંગ દ્વારા ટ્રેનોમાંમુસાફરોને તેમની સીટ પર લોકપ્રિય કંપનીનું ફૂડ્સપૂરું પાડે છે. હવે, આ વિકલ્પ રેલવે સ્ટેશનો પર પણ ઉપલબ્ધ થશે. અધિકારીઓ કહે છે કે આનાથી સ્ટેશનો પર ક્વોલિટીફૂડ્સ ઉપલબ્ધ થશે તેની ખાતરી થશે.

આઉટલેટ્સ કેવી રીતે શોધવી?

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ મુખ્ય બ્રાન્ડ્સ રેલવે સ્ટેશનો પર જગ્યા કેવી રીતે મેળવશે? આ ફાળવણી ઈ-હરાજી દ્વારા કરવામાં આવશે. બ્રાન્ડ્સને પાંચ વર્ષનો સમયગાળો આપવામાં આવશે. વધુમાં, જે પ્રદેશમાં આઉટલેટ્સખોલવામાં આવશે ત્યાં આ બ્રાન્ડ્સનીમાંગને ધ્યાનમાં લેવામાં આવશે. ઝોનલ રેલવે નક્કી કરશે કે કયા રેલવે સ્ટેશનોનેઆઉટલેટ્સની સૌથી વધુ જરૂર છે.

રિઝર્વેશન નીતિને અસર થશે નહીં

રેલવેએ સ્પષ્ટતા કરી છે કે નોમિનેશનના આધારે નવી પ્રીમિયમબ્રાન્ડ્સફાળવવામાં આવશે નહીં.

ચાર પ્રકારના સ્ટોલ

હવે, રેલવે સ્ટેશનો પર ત્રણને બદલે ચાર પ્રકારના સ્ટોલ જોવા મળશે. અગાઉ, ભારતીય રેલવેએ બધા સ્ટોલને ત્રણ શ્રેણીઓમાં વિભાજિત કર્યા હતા. હવે ચોથી શ્રેણી ઉમેરવામાં આવી રહી છે. હાલમાં શ્રેણીઓપીણાં અને નાસ્તા, ચાનાસ્ટોલ અને મિલ્ક બાર અનેજ્યુસ બાર હતી. ચોથી શ્રેણી પ્રીમિયમબ્રાન્ડ કેટરિંગ આઉટલેટ્સ ઉમેરવામાં આવી રહી છે.