આગરા ફરીથી કોરોનાનુ ઘર બનતુ દેખાઇ રહ્યું છે, ગઇકાલે અહીં 104 દર્દીઓ હતા, જેમાં આજે વધુ 35 દર્દીઓ સામે આવતા સંખ્યા વધીને 138 પહોંચી ગઇ છે.
આ મામલે આગરાના પારસ હૉસ્પીટલ, ફતેહપુર સીકરના ગાઇડ જાવેદ અલી અને ડૉ પ્રમોદ મિત્તલના સંપર્કમાં આવનારી સંખ્યા ખુબ મોટી છે. આજે જો પૉઝિટીવ કેસો નોંધાયા છે તેમાના આઠ જમાતી છે. આગરામાં કુલ 138 દર્દીઓમાંથી 60 દર્દીઓ જમાતી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની વધતી સંખ્યાના મામલે ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યમાં જે 15 જિલ્લાઓના હૉટસ્પૉટને પુરેપુરા સીલ કરવાનો નિર્ણય લીધો છે, તેમાં આગરા પણ સામેલ છે. ખાસ વાત છે કે યુપીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે.