નવી દિલ્લી: રાજસ્થાનના બીકાનેરમાં અરવિંદ કેજરીવાલ પર શાહી ફેંકવામાં આવી હતી. શાહી ફેંકનારા એબીવીપીના નેતાને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જ્યારે દિલ્લીના સ્વાસ્થમંત્રી સત્યેંદ્ર જૈન પર જૂતી ફેંકવામાં આવી છે.


કેજરીવાલે સેનાની સર્જિકલ સ્ટ્રાઈક પર ઉઠાવેલા સવાલથી નારાજ થયેલા આમ આદમી સેનાની કાર્યકર્તાએ મંત્રી સત્યેંદ્ર જૈન પર ચપ્પલ ફેંક્યુ હતું. જ્યારે સત્યેન્દ્ર જૈન 17 કરોડની હેરફેરના આરોપમાં ઈન્કમ ટેક્સની ઓફિસે હાજર થવા પહોંચ્યા હતા.

ચપ્પલ ફેંકનારી ભાવના અરોરાએ આ પહેલા અરવિંદ કેજરીવાલ પર શાહી ફેંકી હતી.