નવી દિલ્હીઃ INX મીડિયા કેસમાં આરોપી પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમ 27 કલાક બાદ પ્રગટ થયા હતા. તેમણે કોંગ્રેસ ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં કહ્યું કે, હું આરોપી નથી. મને લોકતંત્ર પર પૂરો ભરોસો છે. મારી કે મારા પરિવાર સામે કોઈ ચાર્જશીટ નથી.


આટલા કલાકથી ક્યાં ગુમ હતા? તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું રાતથી વકીલો સાથે દસ્તાવેજો તૈયાર કરી રહ્યો હતો.  મને અને મારા દીકરા કાર્તિને ફસાવવામાં આવી રહ્યા છે. લોકતંત્રનો પાયો આઝાદી છે, જો મારે જિંદગી અને આઝાદી વચ્ચે કોઈ એકની પસંદગી કરવાની હોય તો હું આઝાદી પસંદ કરીશ.

પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને INX મીડિયા કેસમાં દિલ્હી હાઇકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવ્યા બાદ લાપતા થઈ ગયા હતા. સુપ્રીમ કોર્ટમાંથી પણ તેમને રાહત મળી નહોતી. સીબીઆઈ તેમને શોધવા ગઈકાલે ત્રણ વખત તેમના ઘરે ગઈ હતી.

આખરે પી ચિદમ્બરમ પ્રકટ થયા, કહ્યું- હું આરોપી નથી, ફસાવવામાં આવી રહ્યો છે

‘બિકિની એરલાઈન’ ભારતમાં શરૂ કરશે સર્વિસ, ટિકિટની કિંમત જાણીને આંખો પર નહીં થાય વિશ્વાસ

દિલ્હીમાં નવનિર્મિત ગુજરાત ભવનનું PM મોદી કરશે લોકાર્પણ, જાણો અંદર કેવી છે સુવિધા