Israel Hamas War: પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલ પર હુમલા બાદ પાંચમા દિવસે પણ યુદ્ધ ચાલુ છે. દરમિયાન, ભારતે ઇઝરાયેલમાં રહેતા ભારતીયોને દેશમાં પરત લાવવા માટે ઓપરેશન અજય શરૂ કરવાની જાહેરાત કરી હતી.


વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પર લખ્યું, "ઈઝરાયેલથી ભારત આવવા ઈચ્છતા લોકો માટે ઓપરેશન અજય શરૂ કરવામાં આવી રહ્યું છે. વિશેષ ચાર્ટર ફ્લાઈટ્સ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે વિદેશમાં રહેતા અમારા નાગરિકોની સલામતી અને સુખાકારી માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.






એસ જયશંકરની પોસ્ટ પર, ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે જે ભારતીય નાગરિકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓને આવતીકાલ (ગુરુવાર, 12 ઓક્ટોબર)ની વિશેષ ફ્લાઇટ માટે મેઇલ કરવામાં આવ્યા છે. અનુગામી ફ્લાઇટ્સ માટે અન્ય નોંધાયેલા લોકોને સંદેશ મોકલવામાં આવશે.


ન્યૂઝ એજન્સી પીટીઆઈએ મુંબઈમાં ઈઝરાયેલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીને ટાંકીને કહ્યું કે ઈઝરાયેલમાં 20 હજારથી વધુ ભારતીયો છે.






ઈમરજન્સી નંબર જારી કર્યો


વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય લોકોની મદદ માટે ઈમરજન્સી નંબર જારી કરવામાં આવ્યો છે. આ ઇમરજન્સી નંબરો છે 1800118797, +91-11 23012113, +91-11-23014104, +91-11-23017905 અને +919968291988. આ સિવાય ઈમેલ છે: Situnationroom@mea.gov.in. તેલ અવીવ, ઇઝરાયેલમાં સ્થિત ભારતીય દૂતાવાસના ઇમરજન્સી નંબરો છે +972-35226748 અને +972- 543278392.


યુદ્ધ ક્યારે શરૂ થયું?


શનિવારે (7 ઓક્ટોબર) સવારે હમાસે ઈઝરાયેલ પર રોકેટ હુમલો કર્યો. આ સમયગાળા દરમિયાન હમાસે પણ ઘૂસણખોરી કરીને સામાન્ય લોકોને નિશાન બનાવ્યા હતા. આ પછી ઇઝરાયલે હમાસ સામે જવાબી કાર્યવાહી શરૂ કરી. ઈઝરાયેલ તરફથી ગાઝા પર સતત હુમલા થઈ રહ્યા છે. સાથે જ હમાસ પણ ઈઝરાયલ તરફ રોકેટ છોડી રહ્યું છે. સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર, બંને બાજુથી 2100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગાઝાના ઉર્જા મંત્રાલયે જણાવ્યું હતું કે પાવર પ્લાન્ટમાં બળતણ સમાપ્ત થઈ ગયું છે.