Criminal Defamation Case: કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી છે.


રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા અપરાધિક માનહાનિના કેસમાં દિલ્હી પોલીસે રાઉઝ એવન્યુ કોર્ટમાં પોતાનો રિપોર્ટ દાખલ કર્યો છે. કોર્ટે દિલ્હી પોલીસના રિપોર્ટને સ્વીકારી લીધો છે. કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ગેહલોત વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.


દિલ્હી પોલીસના રિપોર્ટના આધારે રાઉઝ એવન્યુ કોર્ટ 1 જૂને સુનાવણી કરશે. રિપોર્ટના આધારે કોર્ટ નક્કી કરશે કે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત દ્વારા કરવામાં આવેલી માનહાનિની ​​ફરિયાદ પર રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતને સમન્સ આપવામાં આવે કે નહીં.


શું છે સમગ્ર મામલો


કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે સીએમ અશોક ગેહલોત વિરુદ્ધ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જો કે બંને નેતાઓ વચ્ચેની દુશ્મની ઘણી જૂની છે. જે કેસમાં સીએમ ગેહલોતે શેખાવતનું નામ લીધું છે તે 950 કરોડ રૂપિયાથી વધુનું સંજીવની કોઓપરેટિવ કૌભાંડ છે. બંને ઈસ્ટર્ન રાજસ્થાન કેનાલ પ્રોજેક્ટને લઈને પણ એકબીજા પર આરોપો લગાવી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે સીએમ ગેહલોત જાણીજોઈને આ મામલામાં પોતાનું નામ જોડીને તેમના ચરિત્રની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.


કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, તેણે મારી સ્વર્ગસ્થ માતાને આરોપી કહીને તેનું અપમાન કર્યું છે. આનાથી દુઃખી થઈને મેં માનહાનિનો દાવો કર્યો છે. બીજી તરફ માનહાનિના કેસ અંગે સીએમ ગેહલોતે કહ્યું હતું કે માનહાનિનો કેસ આવકાર્ય છે. જેના કારણે આ કૌભાંડ પ્રકાશમાં આવશે. પ્રહારો કરતાં તેમણે કહ્યું કે પીએમ આવા કૌભાંડીને પોતાની કેબિનેટમાં કેવી રીતે રાખી શકે. તમામ પેપરમાં કૌભાંડ હોવાનું બહાર આવ્યું છે. સંજીવની કૌભાંડમાં લાખો ડૂબાડનારા 80 ટકા લોકો રાજપૂત છે. કૌભાંડ પીડિતોની પીડા સાંભળીને હું ભાવુક થઈ ગયો.


Bageshwardham Sarkar Gujarat Visit: રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત


Bageshwardhar Sarkar Dhirendra Shastri: બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. બાબા આજે અમદાવાદ આવશે. જ્યાંથી તેઓ વટવા ખાતે ઠાકુર દેવકીનંદનની મુલાકાતે પહોંચશે. જ્યાં બાબા દેવકીનંદન સાથે ભોજન લીધા બાદ સાંજે વટવાના શ્રીરામ મેદાનમાં ચાલતી શિવ મહાપુરાણ કથામાં હાજરી આપશે. અહીં ત્રણ કલાકના રોકાણ બાદ સાંજે છ વાગ્યે બાબા ચુસ્ત સુરક્ષા ખાતે સુરત જવા રવાના થશે. આ દરમિયાન રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે.


શું કહ્યું વિજય રૂપાણીએ


રાજકોટમાં બાબા બાગેશ્વેર અંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, બાબા હનુમાનજીનાં ઉપાસક છે. દિવ્ય દરબાર યોજવામાં આવી રહ્યો છે જે ખૂબ જ સફળ થાય અને તેઓ આગળ વધે તે માટે અમે સાથે છીએસનાતન ધર્મ માટે અમે હંમેશા બાબા અને સનાતની સાથે છીએ. બાબા ધર્મ અને સંસ્કૃતિની વાત કરે છે, કોઈ ચમત્કારનું વાત કરે છે, કોઈ પોતાનું દુઃખ લઈને આવે તે તેની શ્રદ્ધાનો વિષય છે. અમારું કહેવું છે કે ધર્મ એ શ્રદ્ધા નો વિષય છે. અમે સનાતન ધર્મ સાથે છીએ. કોંગ્રેસ લઘુમતીનાં મત મેળવવા હંમેશા તુષ્ટિકરણ કરે છે.


રાજકોટમાં ક્યારે છે કાર્યક્રમ









બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને મળી Y કેટેગરીની સુરક્ષા


પ્રખ્યાત કથાકાર બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમને Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. તેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. થોડા સમય પહેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. Y સુરક્ષામાં એક કે બે કમાન્ડો હોય છે. આ સુરક્ષા વર્તુળમાં પોલીસકર્મીઓ સહિત આઠ જવાન સામેલ છે.


મળી હતી જાનથી મારી નાખવાની ધમકીઓ


થોડા મહિના પહેલા બાગેશ્વર ધામ સરકારના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને તેમના પરિવાર સાથે જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. અમર સિંહ નામના વ્યક્તિએ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાકાના દીકરાને ધમકીભર્યો ફોન કર્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે, "ધીરેન્દ્ર શાસ્ત્રીના પરિવાર સાથે તેરમીની તૈયારી કરી લો." આ કોલ બાદ પોલીસે એફઆઈઆર નોંધી હતી.