જમ્મુ: કઠુઆ જિલ્લાના બિલાવરમાં શનિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કટલી મલ્હાર રસ્તા પર સાંજે ટાટા સૂમો ઊંડી ખીણમાં ખાબકતા નવ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેઓને નજીકની હોસ્પિટમાં ખસેડવામાં આવ્યા છે.


પ્રાપ્ત જાણકારી અનુસરા કટલી-મલ્હાર રોડ પર ટાટા સૂમો અનિયંત્રિત થતા એક હજાર મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. ટાટા સૂમો બિલાવરથી મલ્હાર જઈ રહી હતી. ઘટનાની જાણ થતા રેસક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનીક લોકોની મદદથી ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. સાત લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા જ્યારે અન્યે બેનાં સારવાર દરમિયાન મોત થયા હતા.