સોપોર: જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરમાં શનિવારે આતંકવાદીઓએ સેનાના જવાન મોહમ્મદ રફીકની ગોળીમારીને હત્યા કરી હતી. બંદૂકધારીઓએ મોહમ્મદ રફીકને વારપોરા સ્થિત તેમના ઘરે ગોળીમારી હતી. જ્યારે બીજી તરફ શોપિયાંના ઈમામ સાહિબ વિસ્તારમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યાં હતા.


એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મોહમ્મદ રફીકને હોસ્પિટલમા લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેના પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. તેની વચ્ચે સુરક્ષાદળએ આ વિસ્તારની ઘેરબંધી કરી હુમલાવરોને પકડવા સર્ચ અપરેશન હાથ ધર્યું છે.

'મિશન શક્તિ' પર DRDO ચીફે કહ્યું, 45 દિવસમાં સેટેલાઇટનો કાટમાળ નાશ પામશે

પૂર્વ સેના ઉપાધ્યક્ષ ભાજપમાં જોડાયા, કહ્યું- BJP કોઈ પણ સૈનિકની પ્રથમ પસંદ
શનિવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અઠડામણમાં બે આતંકીઓને ઠાર કર્યાં હતા. માર્યા ગયેલા આંતકીઓમાં એક એમટેકનો વિદ્યાર્થી રાહિલ રાશિદ શેખ પણ સામેલ હતો. જેણે હાલમાં જ આતંકી સંગઠનમાં જોડાયો હતો. જ્યારે બીજો આતંકી શોપિયાનો જ રહેવાસી હતો. આ બન્ને આતંકી હિજબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા હતા.

મધુ શ્રીવાસ્તવની મતદારોને ધમકી આપવા મામલે ચૂંટણી અધિકારીએ આપ્યા તપાસના આદેશ, જુઓ વીડિયો